SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ મહાવીયા ચાલ્યાં જાય છે, કે, પિતે તેઓને છોડીને ચાલ્યો જાય છે. [પા. ૧૫-૬] અથવા કોઈ વાર તે ભેગી થયેલી સંપત્તિ દાયાદો વહેચી લે છે, ચાર ચરી જાય છે, રાજા લૂંટી લે છે, અથવા તે પોતે જ નાશ પામે છે, કે અગ્નિથી બળી જાય છે. આમ સુખની આશાથી ભેગી કરેલી ભોગસામગ્રી દુઃખનું જ કારણ થઈ પડે છે. [પા. ૧૬] જરા વિચાર તો કરે! જગતમાં બધાને જ સુખ પસંદ છે, અને બધા સુખની જ પાછળ દોડતા હોય છે. છતાં જગતમાં સર્વત્ર અંધપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણપણું, કેટિયાપણું, કુપણું, ખૂંધિયાપણું, કાળાપણું, કેઢિયાપણું, વગેરે દુઃખ જોવામાં જ આવે છે. એ બધાં દુઃખે વિષયસુખની પાછળ પડેલા મનુષ્યોને પિતાની આસક્તિરૂપી પ્રમાદને કારણે જ પ્રાપ્ત થયાં હોય છે. એ વિચારી, બુદ્ધિમાન મનુષ્ય સાવધાન થાય. અજ્ઞાની મનુષ્ય જ વિષયસુખોની પાછળ પડી, અનેક પ્રકારની નિઓમાં જન્મમરણના ફેરા ફરતો હણાયા કરે છે. [પા. ૧૬ ]. કામને રેગરૂપ સમજી, જેઓ સ્ત્રીઓથી અભિભૂત નથી થતા, તેમની ગણના મુક્ત પુરુષો સાથે થાય છે. જેઓ કામભોગને જીતી શકે છે, તેઓ જ તેમનાથી પર વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કોઈ વીરલા મનુષ્યો જ તેમ કરી શકે છે. બીજાં મનુષ્યો તે કામમાં આસક્ત અને મૂઢ બની જાય છે. એટલું જ નહીં, ઊલટાં તેમાં બહાદુરી માને છે. તેઓ માત્ર વર્તમાનકાળ જ દેખી શકે છે અને કહે છે કે, પરલેક કાણુ જોઈ આવ્યું છે? તેવાં મનુષ્યોને ગમે તેટલું સમજાવો પણ તેઓ પિતાનાં વિષયસુખ છોડી શકતાં જ નથી. નબળા બળદને ગમે તેટલે મારે-ઝૂડે, પણ તે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy