SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેક વૈરાગ્ય ૪૦ આગળ ચાલવાને બદલે ઊલટો ગળિયે થઈને બેસી પડે છે. તેના જેવી દશા વિષયરસ ચાખેલા મનુષ્યની છે. વિષયમાં લેશમાત્ર સુખ નથી, તથા તે ક્ષણભંગુર છે, એમ જાણવા છતાં, તથા આયુષ્ય પણ તેવું જ હોવા છતાં, તેઓ છેવટ સુધી તેમને વળગી રહે છે. અને અંતે તે ભોગને કારણે કરેલાં હિંસાદિ અનેક પાપકર્મોનાં ફળ ભોગવવા તેમને આસુરી હીન ગતિને પામવું પડે છે. તે વખતે તેઓ પસ્તાય છે; અને વિલાપ કરે છે. આવાં મનુષ્યો દયા ખાવા જેવાં છે. કારણ તેઓ જ્ઞાનીઓએ ઉપદેશેલા મોક્ષમાર્ગને જાણતાં નથી; તેમ જ સંસારનું સત્ય સ્વરૂપ પ્રત્યક્ષ કરી, જેણે તેમાંથી છૂટવાને માર્ગ બતાવ્યો છે, તેવા મુનિના વચન ઉપર પણ તેમને શ્રદ્ધા નથી. અનંત વાસનાઓથી ઘેરાયેલાં તે અંધ મનુષ્યો પિતાની અથવા પિતાના જેવી બીજાની અધતાને જ જીવનભર અનુસથી કરી, ફરી ફરી મોહ પામ્યા કરે છે, અને સંસારચકમાં ભટકયા કરે છે. મૂર્ખ મનુષ્ય સાંસારિક પદાર્થો અને સંબંધીઓને પિતાનું શરણ માની, તેમાં બંધાઈ રહે છે. તે જાણુતે નથી કે, અંતે તો તે બધાંને છોડી, એકલા જ જવાનું છે, તથા પિતાનાં કર્મોનાં વિષમ પરિણામ ભોગવતાં, દુઃખથી પીડાઈ હંમેશાં આ નિચક્રમાં ભટકવું પડવાનું છે. પોતાનાં કર્મો ભોગવ્યા વિના કોઈનો છૂટકે જ નથી અને દરેકને તેનાં કર્મો અનુસાર જ દશા પ્રાપ્ત થાય છે. માટે જાગૃત થાઓ ! વર્તમાનકાળ એ જ એકમાત્ર તક છે અને બેધ પ્રાપ્તિ સુલમ નથી. માટે આત્મકલ્યાણ સારુ તીવ્રતાથી કમર કસે. સૂત્રકૃતાંગ ૧-૨] દે સહિત સમગ્ર લોકોના દુઃખનું મૂળ કામગોની કામના છે. જે માણસ તે બાબતમાં વીતરાગ થઈ શકે છે,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy