SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર ભવરિષ્ઠ વાસુદેવની કથા ૫ પણ રાજસભામાં દાખલ થતાં ખેંચાવાનું કે કોઈની પરવાનગી માગવાની હેય નહીં. તેને આવતો દેખી આખી સભા એકદમ ખળભળાટ કરતી ઊભી થઈ ગઈ, સંગીત બંધ થઈ ગયું, અને પ્રજાપતિ રાજાએ જાતે ઊભા થઈ ચંડવેગને આદરસત્કાર કર્યો, અને તેને આસન પર બેસાડ્યો. તે વખતે ત્રિપુછ કુમાર પણ સભામાં સંગીતને આનંદ માણતો બેઠે હતે. તેને આ બધું અચાનક શું થઈ ગયું તે સમજાયું નહીં. તેણે પાસેના કેઈને પૂછયું કે, આ કેણુ છે, અને પિતાએ તેને વિના પરવાનગીએ દાખલ થઈ સભાના કામકાજમાં દાખલ કરવા બદલ ડાર્યો તો નહીં, ઊલટે વિનયપૂર્વક આસને બેસાડ્યો, એનું શું કારણ? પેલાએ જવાબ આપ્યો કે, કુમાર ! એ તે રાજાધિરાજ અશ્વગ્રીવને મુખ્ય દૂત ચંડવેગ છે. તેને કોઈ રાજસભામાં દાખલ થવા માટે રજા માગવાપણું હોતું નથી; ઉપરાંત રાજાધિરાજે શો સંદેશ મોકલ્યો છે તે સાંભળવા, સભાનું બીજું કામકાજ બંધ થવું જ જોઈએ; એટલે આપના પિતાએ સંગીત બંધ પાડી દઈ, તેને પાસે બેસાડ્યો છે. વળી એ દૂત રાજાધિરાજનો માનીતે છે, એટલે તેનું યથાયોગ્ય સન્માન કરવું જ રહ્યું. કારણ કે તે જેના ઉપર પ્રસન્ન રહે, તેના ઉપર રાજાધિરાજ પણ પ્રસન્ન રહે; અને તે જેના ઉપર ખિજાય, તેના ઉપર મહારાજ પણ ખિજાય. એમ જ કહે કે આપણે બધા ખંડિયા રાજાઓની આબાદી એ દૂતની પ્રસન્નતાને જ આધીન છે. કારણ કે એ દૂત જ અશ્વગ્રીવ મહારાજની આંખ અને કાન છે. અશ્વગ્રીવ રાજા જેના ઉપર જરા પણ નાખુશ થયા, તેનું આવી જ બન્યું જાણવું. તેથી બધા રાજાએ આ દૂતને રીઝવી -પ્રસન્ન કરી, અશ્વગ્રીવને પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ રહે છે. ત્રિપુકુમાર તો આ હીણપદની વાત સાંભળી સમસમી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy