SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા રાજ્ય પ્રતિસ્પર્ધીરહિત રહેવાનું છે, કે મારે કઈ એ પ્રતિસ્પધી ઊભો થવાનો છે કે, જે મને મારી, મારું આ બધું એશ્વર્ય છીનવી લેવાનું છે? પેલા ભવિષ્યવેત્તાએ બધે હિસાબ લગાવી છે, તે તેને અશ્વપ્રીવને વિનાશ પાસે જ આવેલો જણાય; પરંતુ પિતાને મુખેથી તેમ બેલતાં તે અચકાવા લાગ્યા. ત્યારે રાજાએ તેને સંકેચ વિના સત્ય હકીકત વિસ્તારથી કહેવા જણાવ્યું. એટલે તેણે કહ્યું, “હે રાજા! તમને મારનારે જન્મી ચૂક્યો છે. તમારા ચંડવેગ નામના દૂતને જે અપમાનિત કરશે, અને તમારા રાજ્યના પેલા ભયંકર સિંહને જે મારશે, તેને તમારે કાળ જાણજે.' આ સાંભળી અશ્વગ્રીવ ખિન્ન બની ગયે. પરંતુ તેના મંત્રીઓએ તેને આશ્વાસન આપીને જણાવ્યું કે, આપણે આ ભવિષ્યવાણી જાણે જ છે, તે આપણે પ્રતિસ્પધી માટે તથા બળશાળી થઈ આપણુ સુધી આવે ત્યાર પહેલાં જ તેને નાશ કરી દેવો ઊંચત છે. માટે આપણા રાજ્યમાં જે કોઈ પ્રતાપી કે અસાધારણ બળવાળા યુવાનો કે કુમારે જણાતા હાય, તેમની પરીક્ષા કરી કરીને તેમને ઠેકાણે પાડી દેવાનું આપણે શરૂ કરવું જોઈએ. રાજાને આ સલાહ ગમી. તપાસને અંતે માલુમ પડવું કે પ્રજાપતિ રાજાના કુમારે અસાધારણ પરાક્રમવાળા છે. એટલે અશ્વગ્રીવ રાજાએ પારખું લેવા પિતાના ચંડવેગ નામના દૂતને પ્રજાપતિ રાજા પાસે કોઈ નિમિત્તસર મોકલ્યો. તે દૂત મોટા રસાલા અને સરંજામ સાથે પિતનપુર આવી પહોંચ્યો. રાજાધિરાજને દૂત, એટલે તેને ઠાઠ પણ અનેરો જ હોય ને? તે વખતે પ્રજાપતિ રાજાના દરબારમાં સંગીતને જલસો ચાલતા હતા, અને બધા તલ્લીન થઈ તે સાંભળતા હતા. તેવામાં અચાનક ચંડવેગ સભામાં દાખલ થયો. તેને કઈ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy