SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર ભવ: ત્રિપુષ્ઠ વાસુદેવની કથા આજુબાજુના સર્વ પ્રદેશમાં હાહાકાર મચી ગયેા, અને મધા ખેડૂતા રાવ નાખતા અશ્વગ્રીવ પાસે આવ્યા. અશ્વત્રીને તેમની રાવ સાંભળી પાતાના તામેદાર રાજાઓમાંથી કેટલાકને તે સિંહના વધ કરવાને હુકમ કર્યો. પરંતુ તે ઉગ્ર પરાક્રમી સિંહની પાસે જવાની પણ કાઈ (હુંમત કરી શક્યું નહીં. પરિણામે અશ્વત્રીવના તામેદાર રાજાઓમાંથી દરેકને વારાફરતી ખેતીની મેાસમ દરમ્યાન તે સિંહને વસ્તીવાળા ભાગમાં આવતા અટકાવવા, તે વનની આસપાસ ચેાકી કરવાના હુકમ થયા. પેલા સિંહને તા હવે વસ્તુતાએ ખેડૂતાને બદલે રાજાએ કે રાજસેવાનું ભેાજન વિના-પરિશ્રમે જંગલમાં રહ્યાં રહ્યાં જ મળવા માંડયું; એટલે તેને જગલ છેાડી બહાર નીકળવાનું પ્રયાજન પણ શુ? એ બધા મરેલા રાજાએ તેમજ રાજપુરુષાનાં હાડકાંના ઢગલાએથી તે વનભૂમિના સીમાડા સફેદ થઈ ગયા. ક્રાણુ જાણે જગતના બધા પદાર્થોની એવી કાઈ ખાસિયત છે કે જે ક્ષણે તે બધા પેાતાની સર્વોચ્ચ કક્ષાએ પહેોંચે છે, તે ક્ષણે જ તે પેાતાની ક્ષણુભ ગુરતા, દુ:ખમયતા, અને મેહમયતાની આગાહી આપવાનું શરૂ કરે છે. અશ્વીવ રાજાને પણ, જેમ જેમ તેની સમૃદ્ધિ અતિશયતાની છેવટની હદે પડેાંચવા લાગી તથા જેમ જેમ તેનું આધિપત્ય નિષ્કંટક બનીને પૂર્ણુતાએ પહોંચવા આવ્યું, તેમ તેમ તે બધા પદાર્થોની અનિત્યતા, ક્ષણભંગુરતા વગેરેના આભાસ થવા લાગ્યા. ઊંડે ઊડે તેને લાગવા માંડયું કે, બધું અનિશ્ચિત છે, બધું વિનશ્વર છે, બધું દુ:ખમય છે. પરંતુ કાઈ વિવેકી માણસ હેત, તા આ ભણકારાએ પ્રાપ્ત કરીને વિચારમાં પડી જઈ, કાંઈ હિતકર નિશ્ચય પ્રાપ્ત કરવાના તે પ્રયત્ન કરત. તેને બદલે અધીવે તે પોતાના રાજ્યના કાઈ પ્રસિદ્ધ ભવિષ્યવેત્તાને ખેલાવીને પૂછ્યું કે, મારી આ બધી સમૃદ્ધિ, મારું આ બધું ઐશ્વર્યાં કાયમ રહેવાનાં છે, કે અધવચ જ તેમને નાશ થવાના છે? મારું આ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy