SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા વિનંતી કરી કે, આપ કૃપા કરીને મારી યાનશાળામાં આવીને ઊતરે, તો આ કંડરીકની કાંઈક ચિકિત્સા થઈ શકે. આચાર્યું તેમ કરવાનું કબૂલ કર્યું. કંડરીક ગ્ય ઉપચાર દ્વારા ધીમે ધીમે નીરોગી અને બલવાન શરીરવાળો થયો. યથાસમયે બીજા સાધુઓ તે રાજાને પૂછી બહારગામ વિચારવા ચાલ્યા ગયા, પણ કંડરીક સુંદર ખાનપાનમાં આસક્ત થઈ, સાજો થયા બાદ પણ, બહાર વિચારવા ઈચ્છા કરવા લાગ્યો નહીં. આથી પુંડરીકે તેની પાસે જઈ, આડકતરી રીતે તેને તેના ધર્મની યાદ દેવરાવી. કંડરીકને આ વાત ગમી નહીં, પણ છેવટે શરમના માર્યા પણ તેને તે સ્થળ છેડી ચાલી નીકળવું પડયું. ત્યાર બાદ કેટલેક વખત તે તેણે ઉગ્ર તપ આદિ કર્યો. પણ પછી તે સંયમના અનુશીલનથી થાક્યો, અને ખેદ પામ્યો. આથી ધીરે ધીરે તે પિતાના આચાર્ય પાસેથી નીકળીને પાછો પુંડરીકના રાજમહેલ પાસેની અશોકવનિકામાં આવીને ઊતર્યો. પુંડરીકે. તેને આવેલો જોઈ, પાછો આડકતરી રીતે સમજાવ્યો, અને તેના ધર્મની યાદ દેવરાવી. પરંતુ કંડરીકે નફટાઈથી કહ્યું કાને ધર્યું નહીં. છેવટે રાજાએ તેને સીધો સવાલ કર્યો, “ભગવન ! તમે ભેગાથ છે?' * કંડરીકે હા પાડી. આથી તરત જ પુંડરીકે તેને ગાદીએ બેસાડવો, અને પોતે કંડરીકને સાધુવેશ પહેરી દીક્ષા લીધી. હવે કંડરીક રાજાને ખૂબ ખાન-પાન અને ઘણું ઉજાગરાને લીધે અજણું થયું, અને તેના શરીરમાં પિત્તજ્વર દાખલ થતાં દાહ શરૂ થયો. એવી સ્થિતિમાં અવસાન પામી, તે અર્ધગતિએ ગ. પુંડરીકને પણ ઉગ્ર સંયમ પાળતાં, લખા સુખા તથા પરિમિત ભેજનથી અજીર્ણ થતાં પિત્તવર
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy