SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ મા શ્રી મહાવીરકથા એકલા સુસુમાને લઈ એક ધાર ઝાડી તરફ દાડવા લાગ્યા. ધન્ય અને તેના પાંચ પુત્રો ચિલાતને સુંસુમા સાથે નાસતા જોઈ તેની પાછળ પડયા. સુંસુમાના ભાર ઉપાડી બહુ વેગથી દોડતાં દોડતાં ચિલાત થાકી ગયા; આથી છેવટે તેને નીચે નાખી, તેનું માથું એકલું કાપી લઈ, તે ઝાડીમાં પેઢા, અને ત્યાં ભૂલા પડી, ભૂખેતરસે અધવચ જ મરી ગયા. ધન્ય અને તેના પાંચે પુત્રો રસ્તામાં પડેલા સુસુમાના શખ આગળ આવતાં શાક થાકથી ખેહાશ મની જમીન ઉપર ગબડી ગડવા. હાશમાં આવ્યા બાદ ભૂખેતરસે પિડાઈ, ચારે તરફ પાણી તેમ જ ફળફૂલ શેાધવા લાગ્યા. પણ ઘણે દૂર ગયા છતાં તેમને કાંઈ મળ્યું નહીં. છેવટે અન્ય પેાતાના મેાટા દીકરાને મેલાવીને કહ્યું કે, આમ તા આપણે યે જણુ ભૂખે-તરસે મરી જઈશું; માટે તમે મને મારીને મારું માંસ અને લેહી ખાએ પીએ તથા રાજગૃહ જીવતા પહેાંચી ધ-પુણ્યના ભાગી થાઓ. ત્યારે માટે પુત્ર ખેલ્યા, તમે મારા પિતા છે; તમને શી રીતે મરાય? પણ તમે મને મારીને મારા લેાહીમાંસથી જીવતા રહી આ અટવી પાર કરી જાઓ. એમ એક પછી એક બધા પુત્રોએ મરવા તૈયારી બતાવી. આથી છેવટે ધન્યે તેમને કહ્યું, હે પુત્રો તમને ધન્ય છે. આપણે કાઈને મરવાની જરૂર નથી. આ સુંસુમાનું શબ નિષ્પ્રાણુ અને નિર્જીવ પડ્યું છે, તેના લેાહી–માંસથી બચીને આપણે બધા જ રાજગૃહ પહોંચીએ તા કેમ? પિતાની આ વાત બધાને ગમી. તેઓએ અરણી અને શરકના સંચાગથી અગ્નિ સળગાવ્યેા અને સુષુમાનું માંસ પકાવીને લેાહી સાથે ખાધું. ત્યારબાદ જીવતા રાજગૃહ પાછા ફરીને તેએ ધમ અને પુણ્યની પ્રવૃત્તિમાં તત્પર થયા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy