SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સું સમા શ્રી મહાવીર કહે છે: રાજગૃહમાં ધન્ય નામે સાર્થવાહ હતા. તેને તેની ભદ્રા ભાર્થીને પટે પાંચ પુત્રો તથા સુસુમા નામની પુત્રી થયાં હતાં. તેને ત્યાં ચિલાત નામે એક દાસપુત્ર હતા. તે સુસુમાને રમાડતો અને સંભાળતા. ચિલાત તેફાની તથા મારકણે હતા; તેથી રમવા આવનારાં છોકરાંની રમવાની વસ્તુઓ તે ઝૂંટવી લેતા તથા તેમને મારપીટ પણ કરતો. તે બધાં છોકરાંનાં માબાપની બહુ બહુ ફરિયાદ આવતી. અને ધન્ય પશુ ચિલાતને તેમ ન કરવા વારંવાર કહ્યા કરતો. પરંતુ ચિલાતને સ્વભાવ બદલાતે નહીં. આથી એક વાર ચિડાઈને ધન્ય તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ચિલાત હવે રાજગૃહની શેરીઓ, રસ્તાઓ, મંદિર, પરબ, જુગારખાનાઓ, વેશ્યાવાડ, અને દારૂના પીઠાઓમાં રખડતો ફરવા લાગ્યો અને ધીરે ધીરે ચાર, લફંગે, વ્યભિચારી, અને દારૂડિયે થયો. ધીમે ધીમે તે રાજગૃહ નગરની બહાર આવેલા વિજય નામે ચેરના અડામાં ભળે, અને વિજયના મૃત્યુ બાદ તેના ચેરેને અધિપતિ થયે. એક વાર તેને ધન્યનું ઘર તથા સુસુમા યાદ આવ્યાં. તેથી તેણે બધા ચોરને લઈ, ધન્યના ઘર ઉપર છાપે માર્યો, અને સુંસુમાને ઉપાડી. ધન્ય કેટવાળાની મદદ લઈ એની પાછળ પડ્યો. ચિલાતના સાથીઓ આડાઅવળા થઈ ગયા. છેવટે ચિલાત
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy