SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પરંતુ પછી તે જ્યારે જ્યારે ગામમાં ભિક્ષા લેવા જતા, ત્યારે જેમનાં સગાંવહાલાંને તેણે આવેશમાં મારી નાખેલાં, તે તેને માર–પીટ કરતાં. તેને ભિક્ષા પણ ઓછી જ મળતી. છ મહિનામાં તે તે ભૂખમરાથી જ મરવા જેવો થઈ ગયા. ત્યારે તેણે અન્નપાનને સદંતર ત્યાગ કરી દીધો. પંદર દિવસ બાદ તે મૃત્યુ પામે, અને સિદ્ધ-બુહ તથા મુક્ત થયા. ૩. તિમુશની થાઃ તે પિલાસપુરના વિજય નામે રાજાને શ્રીદેવીરાણુને પેટે થયેલો પુત્ર હતા. તે નાનો હતો અને મંદિરમાં રમત હતો, ત્યાં તેણે ગૌતમને ભિક્ષા માટે ફરતા જોયા. તેમના પ્રત્યે આકર્ષાઈ, તે તેમને ભિક્ષા લેવા પિતાને ત્યાં તેડી લાવ્યો. તેની માતાએ ગૌતમને પુષ્કળ ભિક્ષા આપી. પછી અતિમુક્તક ગૌતમની સાથે તેમના ગુરુને (મહાવીરને) જેવા નગરની બહાર ગયે. ભગવાને તેને ધર્મોપદેશ આપ્યો. એટલે તે સાધુ થવા માતાપિતાની પરવાનગી લેવા આવ્યો. તેનાં માતાપિતાએ તેને કહ્યું કે, ભાઈ તું હજી સાધુ થવામાં શું સમજે? ત્યારે એણે જવાબ આપ્યો કે, હું એટલું સમજ્યો છું કે, જન્મેલાને અવશ્ય કરવાનું છે; પરંતુ ક્યારે – કેવી રીતે – કયાં મરવાનું છે તે હું નથી જાણત; તેમ જ મર્યા બાદ જીવને ક્યાં કર્મ વડે, નારક-પશુ-પંખી-દેવ-મનુષ્ય આદિ યોનિ પ્રાપ્ત થાય છે, તે હું નથી જાણત; પરંતુ એટલું જરૂર જાણું છું કે, પોતાનાં જ કર્મ વડે જીવને તે બધી યુનિઓ પ્રાપ્ત થાય છે. પછી માતાપિતાએ તેને નાછૂટકે રજા આપી. ભગવતીસૂત્ર શતક ૫, ઉદ્દે ૪માં અતિમુકતક કુમારશ્રમણ વિષે એક પ્રસંગ નોંધાયો છે. તે એક વખત મળત્યાગ કરવા બહાર ગયા હતા, ત્યારે રસ્તામાં વહેતા પાણીનું ખાબેચ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy