SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પરિસિદ્ધ સારથિ જ આ ભવમાં ગૌતમ થયો હતો. ભગવાને જ ગૌતમને આ બધી વાતનો ખુલાસો કર્યો હતો. પ્રસાચવ શર્લિ પ્રસન્નચંદ્ર કયા દેશને રાજ હતો, તે વિષે કથાકારે એકમત નથી. ગુણચંદ ગણી તેને તામલિપિને રાજા કહે છે; હેમચંદ્રાચાર્ય તેને પોતનપુરનો રાજા કહે છે; અને આવશ્યક ચણિમાં તેને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો રાજા કહ્યો છે. તે રાજા ભગવાનના ઉપદેશથી વૈરાગ્ય પામી, પિતાના છેક જ બાળક વયના પુત્રને ગાદીએ બેસાડી સાધુ થશે. પરંતુ તેથી રાજયના માઠા હાલહવાલ થયા, મંત્રીઓ ચાલ્યા ગયા, રાણીઓ ભાગી ગઈ, અને પ્રજા ગમે તેમ કષ્ટ પામવા લાગી. પ્રસજચંદ્રની તેથી ઘણુ અપકીર્તિ થઈ. એક વખત પ્રસન્નચંદ્ર મુનિ મહાવીર સાથે ફરતા ફરતા રાજગૃહમાં આવ્યા હતા. તે વખતે પોતાની આ બધી અપકીર્તિ સાંભળી, તે કહેનારાઓ પ્રત્યે તેમને મનમાં ખૂબ ગુસ્સો આવ્યા, અને તે મનમાં ને મનમાં તેમની સાથે શસ્ત્રયુહ કરવા લાગ્યા, અને ભાવ ભાન ભૂલી ગયા. તે સ્થિતિમાં તેમને બેઠેલા જોઈ શ્રેણિકે ભગવાનને પૂછયું કે, આવી ધ્યાનસ્થ દશામાં આ પ્રસન્નચંદ્ર મુનિ મરણ પામે, તે કઈ ગતિને પામે? મહાવીરે જવાબ આપ્યો, “નરક ગતિને.” આ વિચિત્ર જવાબ સાંભળીને શ્રેણિકને લાગ્યું કે, ભગવાન કદાચ મારે પ્રશ્ન સમજ્યા નથી. તેથી તેણે ફરીથી તે પ્રશ્ન પૂછો. ત્યારે ભગવાને જવાબ આપ્યો, કે, “ઉત્તમત્તમ દેવગતિને.' આમ બે વિરોધી ઉત્તરે મળવાથી શ્રેણિકે ભગવાનને તેને ખુલાસે પૂછયો. ત્યારે ભગવાને કહ્યું કે, પહેલીવાર જ્યારે તે પૂછયું, ત્યારે પ્રસન્નચંદ્ર મનમાં એક તુમુલ યુહ લડી રહ્યા હતા, પરંતુ બીજીવાર તેં પૂછયું ત્યારે, તે સ્વસ્થ થઈ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy