SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટો ૧ હાલિકની કથા મહાવીર-કથામાં આગળ નાંધેલી કથાઓ તેમજ પ્રસંગે ઉપરાંત બીજી કેટલીક કથાઓ તથા પ્રસંગાના ઉલ્લેખ હોય છે. તે કથા કે પ્રસંગાના દેશકાળ આદિ ભામત કશી ચોકસ માહિતી મળતી ન હેાવાથી, તેમની અહી. પરિશિષ્ટમાં જુદી નાંધ લીધી છે. છદ્મસ્થાવસ્થામાં મહાવીર જ્યારે વહાણુમાં એસી નદી પાર કરતા હતા, તે વખતે સુષ્ટ નાગકુમારે પ્રભુને કરેલા ઉપદ્રવની કથા આગળ ( પા. ૧૪૦) આવી ગઈ છે. તે નાગકુમાર ત્યાંથી ચ્યવીને કાઈ ગામમાં ખેડૂત થયા હતા. એક વખત મહાવીર તે ગામે પધાર્યાં હતા. તે વખતે તે ખેડૂતને મેષ કરવા તેમણે ગૌતમને મેાકા. ગૌતમના ઉપદેશથી તેનામાં સદ્ધર્મ પ્રત્યે ભાવનાં તા જન્મી, પણ પછી મહાવીરને જોતાં જ તેમના પ્રત્યે દ્વેષભાવ લાવીને તે પાછા ચાલ્યેા ગયા. ત્રિપૃષ્ઠના ભવમાં જે સિંહને ભગવાને માર્યાં હતા, તે સિંહ જ એ ખેડૂત થયેા હતેા; તેથી ભગવાનને જોતાં તેને આમ દેષભાવ જન્મ્યા. ત્રિપૃષ્ઠે મારેલા તે સિંહ જ્યારે તરફડતા હતા, ત્યારે ત્રિપૃષ્ઠના સારથિએ (જીએ આગળ પા. ૩૯, નોંધ ૧) તેને કાંઈક આશ્વાસન આપ્યું હતું. તે વખતે તે સારથિ પ્રત્યે તે સિંહને કંઈક સદ્ભાવ જન્મ્યા હતા. તેથી ગૌતમના કહેવાથી તે ખેડૂતને કાંઈક ભેધ થઈ શકયો હતા; કારણ કે, ત્રિપૃષ્ણે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy