SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ પર વો તેમના ઉપર જ આવી પડયો. સંસ્થાપકના પ્રબળ વ્યક્તિત્વથી ખેંચાઈને એકઠા થયેલા વિવિધ મતિ-ગતિવાળા સાધુસંઘની તે સંસ્થાપક દૂર થતાં એકદમ કેવી વલે આવે છે, તે આપણે ઇતિહાસના બીજા દાખલાઓ ઉપરથી જોઈ શકીએ છીએ. સુધર્માસ્વામીએ એ બધા દિવસમાં કેવી કેવી મુશ્કેલીઓમાં થઈને પિતાનું કામ સંભાળ્યું તેની કશી વિગતે સંધરાઈ નથી. સંઘરાઈ છે માત્ર એક જ વિગત, કે, ૯૨ વર્ષની લાંબી ઉમરે સુધમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારબાદ સંધની વ્યવસ્થાનું કામ તેમના શિષ્ય જંબુસ્વામી ઉપર આવી પડયું. કેવળજ્ઞાની થયા બાદ પણ સુધમૌસ્વામી બીજા આઠ વર્ષ જીવ્યા; અને પૂરી ૧૦૦ વર્ષની વયે એટલે કે પ્રભુના નિર્વાણ પછી ૨૦ વર્ષે તેમણે દેહ છોડયો. જે બુસ્વામીની કથાની સાથે મહાવીરકથાને છેલો તંતુ કથાકાર પણ સમેટી લે છે– એમ કહીને કે, મહાવીરસ્વામીએ પ્રગટાવેલી કેવળજ્ઞાનની ચેતના જંબુસ્વામી છેલ્લા તિર્ધર હતા. આપણે પણ ત્યાંથી જ આ કથા સમેટીએ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy