SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ દર વર્ષે પાવાપુરીમાં તે ચોમાસું તેમણે લાંના હસ્તિપાલ રાજના કારકુનેની જીર્ણશાળામાં વ્યતીત કર્યું. તે વખતની તેમની દિનચર્યા, શારીરિક હાલત, ઇત્યાદિની કશી વિગતો નોંધાયેલી નથી. માત્ર છેક છેલ્લા દિવસની એક વિગત સંઘરાઈ રહી છે. અને તે એ કે, દેહ છોડવાનો સમય નજીક આવતે ગયે, તેમ તેમણે પોતાની ઉપદેશ-ધારા વેગથી ચાલુ કરી. કહે છે કે, છેક પાછલી રાત સુધી તેમણે તે ધારા ભાવી જ નહિ અને પુનાં ફળો વિષે પંચાવન અધ્યયને, પાપનાં ફળ વિષે પંચાવન અધ્યયને, અને વણપૂછયા વિષયનાં ૩૬ અધ્યયને એક પછી એક તેમને મુખે વહ્યા જ કર્યા. દુઃખની વાત છે કે, એ છેવટને ઉપદેશ કર્યો તે હવે નક્કી થઈ શકતું નથી. વણપૂછયા વિષયનાં ૩૬ અધ્યયને તે જ ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયને, એમ કેટલાક કહેવા જાય છે; પરંતુ તે વાત સ્વીકારતાં ઘણું મુશ્કેલીઓ આડી આવે છે. ચેમાસાને ચોથે મહિને હતા. અર્થાત કારતક માસનું કૃષ્ણ પખવાડિયું હતું; તેને છેલે દિવસે અર્થાત અમાવાસ્યાએ પાછલી રાત્રોને સમય આવ્યો. ભગવાને છ ટકનો ઉપવાસ કર્યો હતો. સૌ તેમની આસપાસ ઊભા હતા. માત્ર ગૌતમ ત્યાં ન ૧. મૂળઃ “રજજુગશાળા” અથવા “શુકશાળા છે. શુકશાળા એટલે જકાત લેવાનું નાકું, અને ૨જુગશાળા એટલે લેખકે-કારકુનની કચેરી, એ અર્થ લેવાય છે. અશોકના શિલાલેખમાં “રજજુ” એટલે કાયદો અને વ્યવસ્થા જેવાં અગત્યનાં ખાતાં સંભાળનારા અમલદારે – એ અર્થ થતો જણાય છે. ૨. ગુજરાતી ગણના પ્રમાણે આ માસ. તે વરસનું નામ ચંદ્રસંવત્સર, તે માસનું નામ પ્રીતિવર્ધન, તે પખવાડિયાનું નામ નદિવર્ધન, તે દિવસનું નામ અગ્નિવેશ્ય, અમાવાસ્યાની તે રાત્રિનું નામ દેવાનંદા; તે મુર્તનું નામ સર્વાર્થસિદ્ધ અને તે વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ હતો.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy