SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ va શ્રી મહાવીરકથા હતા. ગૌતમની મહાવીર ભગવાન ઉપર અતિશય મમતા હતી, અને તે મમતા જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં આડે આવતી હતી. ભગવાને તેમની તે મમતાના છેદ કરવા તેમને નજીકના ગામમાં દેવશર્માં નામે બ્રાહ્મણને ઉપદેશ આપવા મેાકલી દીધા હતા. ભગવાનના મેાક્ષની ઘડી નજીક આવતી ગઈ, તેમ સુરાસુર સમુદાય પણ અંતરિક્ષમાં ભેગા થવા લાગ્યા. હવે ભગવાને પ"કાસને સ્થિર થઈ, ધીરે ધીરે મન-વાણી-કાયાના સ્થૂલ તેમજ સૂક્ષ્મ યેાગા રૂધવા માંડત્યા; અને એ રીતે ધ્યાનની સર્વોત્તમ કક્ષાએ પહેાંચી સર્વ કર્મબંધ તોડી નાખ્યા. એમ થતાં જે, વસ્તુ માટે તેમણે પુર – મંદિર – રાજ્ય – લક્ષ્મી આદિને ત્યાગ કર્યો હતા; સ્નેહે કરીને વ્યાપ્ત એવાં બંધુશ્મેાના સ્નેહને અવમાન્યા હતા; ગમે તેવા ગ્રીષ્મ ઋતુના તીવ્ર તાપ તથા શીત ઋતુની ગમે તેવી તીવ્ર ઠંડીએ સતત સહ્યાં કરી હતી; ભિક્ષા માગીને ગમે તેવાં લૂખાં-સૂકાં-તુચ્છ અન્નપાન સ્વીકાર્યાં હતાં; ભયંકર સ્મશાન, શૂન્ય ગૃહા અને અરણ્યામાં વિહરવાનું માન્ય રાખ્યું હેતું; છ ટક-આઠ ટંક આદિના કઠિન ઉપવાસે। સતત કર્યાં કર્યો. હતા, તથા બીજા પશુ અનેક વિધ્રો તથા સંકટા ખેદરહિતપણે સહ્યાં હતાં, તે વસ્તુ – મેાક્ષપદ – તેમને પ્રાપ્ત થઈ ગઈ. ધન્ય છે તે વીરને – તેના જીવનને તેમજ મરણુને. - સુત્રકાર કહે છે : “ અધી ગ્રંથીઓને પાર કરી ગયેલા તે પ્રભુને હવે ક્રી જન્મ તેમજ મરણુ પામવાપણું નથી. તે મહાપુરુષ કાંઈ પણુ દૂષણુ વિનાના, ધૃતિમાન, સ્થિર ચિત્તવાળા તથા સૂર્યની પેઠે અનુત્તમ તપ કરનારા હતા. “ સહન કરવામાં તે પૃથ્વી જેવા હતા, અનુભવી હતા, કુશળ હતા, તીવ્ર બુદ્ધિમાન હતા, ક્રાધ-માન-માયા-લેાજ આદિ દાષાથી રહિત હતા, પરિપૂર્ણ પરાક્રમી હતા, તથા અનેક ગુણાયુક્ત હતા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy