SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમા ભવ: ત્રિપૃષ્ઠ વાસુદેવની કથા આપણે આગળ જોઈ આવ્યા છીએ કે, મરીચિને તીર્થંકર થતા પહેલાં વાસુદેવ તેમજ ચક્રવતી પણુ થવાનું હતું. આ અઢારમે। ભવ તેમના વાસુદેવપણાના ભવ છે. તેની કથા નીચે પ્રમાણે છે આ જમુદ્દીપના ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં રિપુપ્રતિશત્રુ નામે પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેને ભદ્રા નામની પટરાણીથી મહાબળવાન અચલ નામે પુત્ર થયા. તે જ પહેલા બળદેવ અચલ.૧ ત્યારબાદ તે રાજાને ભદ્રા રાણીથી . અહીં એટલું નાણતા જવું જોઇએ કે, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ખળદેવ, ચક્રવતી અને તૌકર એ અમુક પ્રકારની વિશિષ્ટ સિદ્ધિવાળી પદ્મવીએ છે. કાળચક્રના દરેક ફેરામાં કુલ તેસમ પુરુષા એવા ઉત્પન્ન થાય છે કે, જેમનાં જીવન ખીન લાકોની રિદ્ધિ-સિદ્ધિ માપવાને શલાકા અર્થાત્ ગરૂપ હોવાને કારણે તેમને શલામ્રા-પુરુષ કહેવામાં આવે છે. તે તેસામાંથી ૨૪ જણ તીર્થંકર હોય છે, બાર જણ ચક્રવતી હોય છે, નવ જણ વાસુદેવ હોય છે, નવ જણ્ બળદેવ હોય છે, અને નવ જ પ્રતિવાસુદેવ હોય છે. મૂળદેવ હુ‘મેશાં વાસુદેવના ઓરમાન ભાઈ હોય છે, અને પ્રતિવાસુદેવ હમેશાં વાસુદેવ સાથે અથડામણમાં આવનારા તે જમાનાને પ્રતાપી પુરુષ હાય છે. વાસુદેવને હાથે of તેનું મૃત્યુ પણ થાય ચક્રવતી ની રિદ્ધિ વાસુદેવ કરતાં બમણી હોય છે. તે વિષે પછીના. પ્રશ્નરણમાં વધુ કહેવામાં આવશે. છે. ૧. બળદેવ ગર્ભ માં આવે, ત્યારે તેમની માતાને ચાર દેવાળ વાળે સફેદ હાથી, સફેદ વૃષભ, નિર્મળ ચંદ્રમા અને ખીલેલાં ક્રમળેાવાળુ સ્વચ્છ સરોવર સ્વપ્નમાં દેખાય.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy