SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ શા મહાવીયા દિવ્ય અને ભાગ્ય એવા ભેગો ભેગવી, તે સુદી સ્થિતિને ફાય થયા પછી અહીં વાણિજ્યગ્રામમાં ઉત્પન્ન થયો છે.” આ સાંભળતાંની સાથે સુદર્શનને પિતાના પૂર્વજન્મનું ભાન થયું; અને પરિણામે મહાવીરે કહેલી વાતની તેને ખાતરી થઈ ગઈ. ત્યાર બાદ તેમની પાસે કહા ભરેલે ચિત્ત પ્રવજ્યા લઈ, બાર વર્ષ સુધી સાધુપર્યાય ભલી પેરે પાળી, અંતે સાઠ ટંકને ઉપવાસ કરી, તે મૃત્યુ પામ્યો; અને સિદ્ધ-બુદ્ધ તથા મુક્ત થયો. [ભગવતી. શ. ૧૧, ઉ. ૧૧] ૧૧. પછીનાં છ વર્ષ હવે પછીનાં છ વર્ષને ગાળો, છૂટી-છવાઈ એકાદ-બે વિગત નોંધતા જઈને કંઈક જલદી સમેટી લેવાને થશે. એ છ વર્ષ દરમ્યાન કાંઈ નોંધવા જેવું બન્યું નહતું –એ માટે નહીં; પરંતુ જે કાંઈ બન્યું હતું તેની વિસ્તૃત વિગતો સંઘરાયેલી આપણને નથી મળતી. ધર્મોપદેશ અપાયે જ જાતે હતિ; દીક્ષાઓ લેવાયાં જ કરતી હતી; સાધકોને પ્રોત્સાહન મળ્યા જ કરતું હતું; પ્રશ્નોત્તર થયાં જ કરતા હતા. તે બધાંનું મહત્ત્વ કે અગત્ય પણ ઓછાં ન હતાં. તે તે વ્યક્તિઓ માટે તે તે બધી વસ્તુઓ અગત્યની જ હતી. પરંતુ કથાકારને તે કથાની વસ્તુ સાથે વિશેષ લેવાદેવા હોય. જ્યાં નવીન જીવન કે અંતિમ કૃતાર્થતા હોય, પરંતુ નવીન “વરતુ’ ન હોય, ત્યાં તેનું પગલું ઝટ ન વળે! અને આગળ આવી ગયેલાં ચરિત્રની ચમત્કૃતિ ભરેલી કથાઓ આગળ, માત્ર ઉપદેશ–શ્રવણ-દીક્ષાસાધના-કૃતાર્થતાએટલી જ વિગતોવાળી કથા ઝાંખી પણ પડી જાય! એટલે કથાકાર તે એ ભાગ ઉપર જરા મોટી છલંગ ભરી જાય છે. બાકી રહ્યો ઈતિહાસ-કાર. તેનું કામ તે ધૂળધાયાનું. તેને તે નાની નાની કે સૂકી સૂકી વિગતેને પણ ૫. ભક્તને પણ ઇષ્ટની દરેક નાની-મોટી વિગતનું સ્તવન
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy