SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ પર વર્ષે સાગરોપમ વર્ષોને કદી ક્ષય કે અપક્ષય થાય ખરે! લાગે છે તે એમ કે, કદી ન થાય; તો પછી નરક-સ્વર્ગમાં અનેક સાગરેપમ વનું આયુષ્ય કહ્યું છે, તેનું શું? તે ગતિને પામેલો ફરી ત્યાંથી ટ્યુત જ ન થાય! ભગવાને જવાબ આપ્યો કે, એ વને પણ જરૂર અંત આવે જ. સુદર્શને પૂછયું, “હે ભગવન ! એમ આપ શા કારણથી કહે છે? મહાવીરે કહ્યું, “હે સુદર્શન! તે બાબતમાં હું જે કહું છું તે સાંભળ. હસ્તિનાપુરમાં બલ નામે રાજાને પ્રભાવતી નામે રાણ હતી. તે રાણુને એક વખત જાણે કેઈ સિંહ આકાશમાંથી ઊતરી પિતાના મુખમાં પ્રવેશ કરતો હોય એવું સ્વમ આવ્યું. સ્વમપાઠકેને પૂછતાં તેમણે જણાવ્યું કે, આ સ્વમથી સૂચિત થાય છે કે, પ્રભાવતી રાણુને નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા પછી કુલધ્વજ સમાન પુત્ર થશે; તે રાજ્યનો પતિ થશે, અથવા ભાવિતામા સાધુ થશે. વખત જતાં રાણીએ પુત્રને જન્મ આપે. તેનું મહાબલ એવું નામ પાડવામાં આવ્યું. એ સમયે તેને આઠ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યા; અને સંસારત્યાગ તરફ તેનું ચિત્ત ન વળે, તે માટે પ્રયત્નપૂર્વક તેને સુખ-વિલાસામાં રૂંધી લેવામાં આવ્યો. પરંતુ એક વખત વિમલનાથ તીર્થકરના પ્રપૌત્ર ધર્મષ મુનિનું પ્રવચન સાંભળતાં જ તેની વૃત્તિ બદલાઈ ગઈ અને માતપિતાની અનેક સમજાવટ છતાં તે સાધુ થઈ ગયે. ત્યાર બાદ બાર વર્ષ સુધી વિચિત્ર પ્રકારનાં અનેક તપકર્મો કરીને અંતે સાઠ ટંકના ઉપવાસથી તેણે દેહત્યાગ કર્યો. મૃત્યુ બાદ તે બ્રહ્મલકમાં દેવ થશે. ત્યાં તેનું આયુષ્ય દશ સાગરોપમ વર્ષનું હતું. હે સુદર્શન! તું પોતે જ આગલા જન્મમાં તે મહાબલ દેવ હતો. અને દશ સાગરોપમ વર્ષો સુધી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy