SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ પર વર્ષે જંગમ પ્રાણ સ્થાવર થઈને જન્મે છે. એટલે કોઈ પ્રાણી માત્ર સ્થાવર નથી કે માત્ર જગમ નથી. તેથી ઉપરની પ્રતિજ્ઞાવાળા ગૃહસ્થ સ્થાવર પ્રાણેની હિંસા કરવાની પિતાને સ્ટ માની જયારે તેમની હિંસા કરે છે, ત્યારે તે પિતાની પ્રતિજ્ઞાને ભંગ કરે છે. કારણ કે, આ જન્મમાં સ્થાવર તરીકે જન્મેલા પ્રાણે આગલા જન્મના જગમ પ્રાણે જ છે માટે હું કહું છું તેમ નિયમ લેવરાવે તે કશે દોષ ન આવે; જેમકે, બીજાની જબરદરતી બાદ કરતાં, તેમજ . . . થેવું પણ કરવાની ભાવનાથી હું અત્યારે જંગમ તરીકે ઉત્પન થયેલા પ્રાણુઓની હિંસા નહિ કરે!” એટલે ગૌતમે તેને જવાબ આપ્યઃ હે આયુષ્યન! તારું કહેવું યથાર્થ નથી, પરંતુ બીજાને માત્ર નાહક મુંઝવણમાં નાખનારું છે. પ્રાણે એક કેટીમાંથી બીજી કોટીમાં જાય છે એ વાત સાચી; પરંતુ જેઓ આ જન્મમાં જંગમ તરીકે ઉત્પન્ન થયા હોય, તેમને જ પેલી પ્રતિજ્ઞા લાગુ પડતી હેવાથી, પ્રતિજ્ઞાભંગનું આળ ઘટી શકતું નથી. જેમને તું “અત્યારે જંગમ તરીકે ઉત્પન્ન થયેલાં' કહે છે, તેમને જ અમે “જંગમ પ્રાણુઓ’ કહીએ છીએ. જંગમ પ્રાણીઓ તેમને કહેવાય કે જેમને જંગમ પ્રાણીઓ બનવા માટેનાં કર્મો ફલ આપવા લાગ્યાં હોય, અને એ કારણે તેમને તેવાં નામકર્મ પ્રાપ્ત થયાં હાય. એ જ રીતે ધરબાર તજી સાધુ બનેલાને ન મારવાનો નિયમ લેનાર ગૃહસ્થ, સાપણું તજી ફરી ગૃહસ્થ બનેલાને મારે, તો તેણે સાધુને ન મારવાની લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કર્યો ન કહેવાય. પછી ઉદકે ગૌતમને બીજો પ્રશ્ન પૂછો? હે આયુષ્યન ગૌતમ! એ કોઈ વખત આવે ખરે, જયારે બધાં જ જગમ પ્રાણીઓ સ્થાવર કેટીમાં જ ઉત્પન્ન થયાં હોય, અને તેથી જગમ પ્રાણીઓની હિંસા ન કરવા ઈચ્છનાર શ્રમણોપાસકને
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy