SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી મહાવીરકથા થાળીમાં સુંદર તથા અઢાર પ્રકારનાં શાકક્કાળાદિ યુક્ત પરંતુ વિષ-મિશ્રિત ભજન કરે, તે તે ભજન શરૂઆતમાં સારું લાગે, પણ પછી તેનું પરિણામ બૂરું આવે, તેમ જીવોના પાપકમી અશુભ ફળવાળાં હોય છે. તથા જેમ ઔષધમિશ્રિત ભોજન શરૂઆતમાં સારું ન લાગે, પણ પછી સુખપણે પરિણામ પામે છે, તેમ જીવોને હિંસાદિ મહાપાપનો ત્યાગ, તેમજ કોધાદિ પાપસ્થાનનો ત્યાગ પ્રારંભમાં સાર નથી લાગતો, પણ પછી પરિણમે સુખપણે પરિણુત થાય છે. હ. પેહલપુર ભગવાને આ વર્ષનું મારું નાલંદામાં વ્યતીત કર્યું. નાલંદા તે વખતે રાજગૃહ નગરની બહાર ઈશાન ખૂણામાં આવેલ “બાહિરિકા' એટલે કે નગર બહાર વસેલી વસતી – પરું ગણાતું હતું. નાલંદામાં લેપ નામે એક સંપત્તિમાન શ્રાવક રહેતો હતો. નાલંદાવાસમાં ઈશાન ખૂણા તરફ તેની શેષદ્રવ્યા નામની એક મનહર ઉદકશાળા (સ્નાનગૃહ) હતી. તેના ઈશાન ખૂણામાં હસ્તિયામ નામનું ઉપવન હતું. તેમાં આવેલા એક મકાનમાં ગૌતમે ઉતારે કર્યો હતો. તે ઉપવનમાં ગૌતમ ઉપરાંત ભગવાન પાર્શ્વને અનુયાયી નિર્મથ ઉદક પેઢાલપુત્ર પણ રહેતો હતો. તે એક વખત ગૌતમ પાસે આવી કહેવા લાગ્યોઃ હે આયુષ્યમાન ગૌતમ! કુમારપુત્ર નામના શ્રમણનિર્મ છે કે જેઓ તમારા મતને અનુસરે છે, તેઓ વ્રત-નિયમ લેવા આવેલા ગૃહસ્થ પાસે એવા નિયમ લેવરાવે છે કે, “બીજાની જબરદસ્તી બાદ કરતાં, તેમજ બધું ન થઈ શકતું હોય તે હું પણ કરવાની ભાવનાથી, માત્ર હાલતાં ચાલતાં પ્રાણુઓની હિંસા હું નહીં કરું.” પરંતુ, બધાં પ્રાણીઓ વારાફરતી સ્થાવર જગમ એવી યોનિઓમાં ભમ્યાં જ કરતાં હોય છે. કોઈ વાર સ્થાવર પ્રાણુ બીજા જન્મમાં જગમ થઈને જન્મે છે, કે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy