SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ દર વર્ષે [૩૧ મું ચોમાસું ] વર્ષાઋતુ પૂરી થયા બાદ ભગવાન કોશલ–પાંચાલ તરફ વિહરવા નીકળ્યા અને સાત, શ્રાવસ્તી, કપિલ્યપુર આદિ નગરોમાં ફરતા ફરતા વર્ષાઋતુના અરસામાં વૈશાલી આવ્યા, અને ત્યાં ચાતુર્માસ વ્યતીત કર્યો. ૫. ગાંગેય શ્રમણ [૩૨ મું ચોમાસું) ત્યાર પછીના વર્ષમાં પણ તેમણે વિદેહ, કેશલ, તથા કાશીના પ્રદેશોમાં વિહાર કર્યા કર્યો; અને અંતે ચોમાસું આવતાં વૈશાલીમાં ચાતુર્માસ વ્યતીત કર્યો. વાણિજ્યગ્રામમાં તેમને પાર્શ્વનાથની પરંપરાના ગાંગેય શ્રમણ સાથે ભેટો થયો. તેણે નરકભૂમિમાં નારકી જીવોની ઉત્પત્તિ બાબત કેર્ટલાક પ્રશ્નો મહાવીરને પૂછ્યા. ભગવાને જણાવ્યું કે, નરયિકે નરકમાં સ્વયં ઉત્પન્ન થાય છે; અર્થાત પિતાનાં કર્મના ઉદયથી, ગુરુપણાથી, અશુભ કર્મોના ઉદયથી અને વિપાકથી તેઓ નરકમાં ઉત્પન્ન થાય છે; તેઓ અસ્વયં” ઉત્પન્ન થાય છે એમ કહેવાય નહીં. તે જ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ છવાની બાબતમાં પણ જાણવું. તે સાંભળી ગાંગેયે પૂછયું, “હે ભગવન! આપ સ્વયં આ પ્રમાણે જાણે છે, કે અસ્વયં જાણે છે?— સાંભળ્યા સિવાય આ પ્રમાણે જાણે છે કે, સાંભળીને જાણે છે ૧. આ નગરમાં મહાવીરને અંબડ નામના પરિવ્રાજક સાથે પ્રસંગ પડયો લાગે છે. છેક છેવટ સુધી તે પરિવ્રાજક જ રહ્યોજન સાધુની દીક્ષા તેણે ન લીધી, પરંતુ ભગવાન મહાવીર પ્રત્યે તેની ભક્તિ તે જામી જ. ઔપપાતિક સૂત્રમાં ગૌતમના પ્રશ્નના જવાબમાં મહાવીર જણાવે છે કે, તે દીક્ષા તો નહીં લે; તે પણ કેટલાક જૈન આચારો તે અવશ્ય પાળશે; બ્રહ્મચર્ય સિવાયનાં બીજા ચાર ત્રમાં પણ જૈન સાધુ જેટલી તીવ્રતા નહીં દાખવે, તેમ છતાં દેવગતિ પામ્યા બાદ તે સારા કુળમાં જન્મી, જૈન સાધુ થઈને સિદ્ધ પામશે જ,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy