SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા મહાવીરે જવાબ આપ્યો: “હે ગાંગેય! આ બધું હું સ્વયં જાણું છું, સાંભળીને જાણતા નથી. કેવલજ્ઞાની બધી દિશાઓમાં મિત મર્યાદિત) પણ જાણે છે અને અમિત પણ જાણે છે. તે સર્વ કાળે સર્વ ભાવને પણ જાણે છે. તેને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે; તથા તે જ્ઞાનદર્શનને કોઈ જાતનું આવરણ નથી.” - ત્યાર પછી ગાંગેય અનાર મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શી જાણું, તેમની પાસે દીક્ષા લઈ પાશ્વને ચાર મહાવ્રતધર્મમાંથી નીકળી મહાવીરના પાંચ મહાવ્રતધર્મમાં આવ્યો અને શ્રમણપણું ભલી પેરે પાળી, સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થયા. [ ભગવતી શતક ૯, ઉદ્દે ૨૨] છે. છઠ્ઠા આરાનું ભારત અને તેનાં મનુષ્ય આમ લગભગ ત્રણ વર્ષ સુધી મધ્ય પ્રદેશમાં વિચથી બાદ ભગવાન હવે વર્ષાઋતુ ઊતરતાં પિતાના મુખ્ય કેન્દ્ર --- મગધરાજગૃહ-તરફ વળ્યા. ત્યાં ગયે વખત પણ થયું હતું, અને કેટલાક શ્રમણોની ઇચ્છા વિપુલાચલ ઉપર અનશન કરવાની પણ હતી. રાજગૃહમાં ભગવાને છઠ્ઠા આરાને ભારત વિષે તથા તેનાં મનુષ્યો વિષે એક ભવિષ્ય ભાખ્યું; તે ભગવતીસૂત્રમાં સંધરાયું છે. તે સમજવા માટે કાળચક્ર વિષેની થોડીક જૈન પરિભાષા સમજી લેવાની જરૂર છે. કાળચક્રના બે ભાગ છે: ૧. દરેક શુભ બાબતમાં હાનિ પામતે – નીચે જ. અને ૨. દરેક શુભ બાબતમાં વૃદ્ધિ પામતો – ઉપર જતો. તે દરેકના પાછા છ ભાગ પાડવામાં આવ્યા છે. તે આરા” કહેવાય છે. અવસર્પિણીના આરા આ પ્રમાણે છે: સુખમા-સુખમાં, સુખમા, સુખમા-દુઃખમાં, દુખમા-સુખમાં, દુઃખમા, અને દુખમાદુખમા.. ઉત્સર્પિણના છ આરા તેનાથી ઊલટા છે. અવસર્પિણમાં સુખ વગેરે ઘટતાં જાય છે, અને ઉત્સર્પિણમાં વધતાં જાય છે. અવસર્પિણીના છયે આરાઓને સમય ૧૦ ૪ (૧ કરોડ x ૧
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy