SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરૂકથા આમ આચરણની બાબતમાં તેમની યોગ્યતા જાણું લીધા બાદ, સમિલે તેમને દ્વિઅર્થી શબ્દોવાળા પ્રશ્ન પૂછીને તેમની વાફકુશળતાની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો તેણે પૂછયું: “હે ભગવન ! “સરિસ’ આપને ભક્ષ્ય છે કે અભક્ષ્ય?” ભગવાન – સેમિલ! તારાં બ્રાહ્મણ-શાસ્ત્રોમાં “સરિસવ’ શબ્દના બે અર્થ કહ્યા છેઃ ૧. સદશયા – એટલે કે મિત્ર; અને ૨. “સર્વપ' –એટલે કે સરસવ. મિત્રઅર્થમાં “સરિસવ’ શ્રમણ-નિર્મથને અભય છે; પરંતુ ધાન્યસરિસવ જે નિર્જીવ થયેલા હેય, ઇવાલાયક–નિર્દોષ હોય, તથા યાચવાથી પ્રાપ્ત થયેલા હોય, તે ભય છે. તે જ પ્રમાણે સે મિલે માંસ, અને મારો તેમ જ અડદ એ અર્થેવાળો “મા” શબ્દ વાપરીને; તેમજ કુલીન સ્ત્રી, અને કળથી એ બે અર્થવાળે “કુલથા' શબ્દ વાપરીને તે જ પ્રકારે પ્રશ્ન પૂછળ્યા; અને ભગવાને પણ અડદ તથા કળથી અર્થમાં તે બંને ભક્ષ્ય છે એ જવાબ ચતુરાઈથી આપે. ત્યાર પછી ભગવાનના આંતરિક જ્ઞાનની પરીક્ષા કરવા મિલે આત્મસ્વરૂપ વિષે પણ પ્રશ્નો પૂછન્યા. અને તેમના વચિત જવાબ પામી, તે પોતે જ નિરુતર થયો. અંતે પ્રવજ્યા લેવાની તેની અશક્તિ હોવાથી બાર પ્રકારના શ્રાવકધર્મને ભગવાન પાસે તેણે સ્વીકાર કર્યો. ત્યાર બાદ શીલત્રત, ગુણવ્રત વગેરે વડે તથા યથાયોગ્ય સ્વીકારેલાં તપકર્મ વડે આત્માને ભાવિત કરતો, ઘણાં વર્ષ સુધી શ્રમણે પાસપણું પાળી, અંતે સાઠ ટંક ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણ પામી, તે દેવગતિ પામે. [ભગવતી શતક ૧૮, ઉદ્દે ૧૦.]. [૩૦ મું ચોમાસું]. ભગવાને આ વર્ષને ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં કર્યો.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy