SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ પર વર્ષે કરવાને જ નિશ્ચય કરી, તેણે ત્યાં ને ત્યાં ભગવાન પાસે પિતાનાં વસ્ત્રાભૂષણનો ત્યાગ કરી, દીક્ષા લીધી. કથાકાર જણાવે છે કે, રાજાનું એ અદ્ભુત વૈરાગ્ય-પરાક્રમ જોઈ થડા વખત પહેલાં તેને હસનાર ઈદ્ર પણ ચકિત થઈ ગયે, અને તે રાજાની વંદન-પ્રશંસા કરી, પોતાને સ્થાનકે પાછો ફર્યો. ૪. મિલ બ્રાહરણ ભગવાન હવે ત્યાંથી વિદેહ દેશ તરફ ચાલ્યા. વાણિજ્યગામમાં તેમને સેમિલ નામના ધનિક બ્રાહ્મણને ભેટ થયે. તે બ્રાહ્મણ દાદિ બ્રાહ્મણશાસ્ત્રમાં કુશળ હતો. મહાવીરને આવેલા જાણે તેને વિચાર આવ્યો કે, મારે ભગવાનના આચરણની, તેમની વાફ કુશળતાની, તેમજ તેમના આંતરિક જ્ઞાનની પરીક્ષા લેવી; અને જે તે બધી વાતે પૂરા જણાય, તે મારે તેમને વંદન કરવું નહીં તે તેમને નિરુત્તર કરવા. - પછી સમિલે પ્રશ્નોત્તર વગેરે દ્વારા જાણ્યું કે, ભગવાન મહાવીર તપ-નિયમ-સંયમ-સ્વાધ્યાય અને ધ્યાનાદિમાં પ્રવૃત્તિરૂપ ચાત્રા-યુક્ત છે; તેમની શ્રેત્રાદિ પાંચ ઇન્દ્રિયો તેમને અધીન હોવાથી તે હૃદયથાપનીય વાળા છે; તેમના ક્રોધ-માન-માયા-લભરૂ૫ કષાયો બુચ્છિન્ન થયા હોવાથી તથા કદી ઉદયમાં આવતા ન હોવાથી તે નોચિયાનીચ-વાળા છે; તેમના વાત-પત્ત-કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીરસંબંધી દોષો ઉપશાંત થઈ ગયા હોવાથી તથા કદી ઉદયમાં ન આવતા હોવાથી તે અષાયુક્ત છે; તથા અરામો-ઉલ્લાને-દેવકુલે-સભાઓ-પરબતથા સ્ત્રી-પશુનપુંસક-રહિત વસતીઓમાં નિર્દોષ અને સ્વીકારવા યોગ્ય પીઠ (સૂવાનું પાટિયું), ફલક (પીઠ પાછળ એડિંગણુ રાખવાનું પાટિયું), ઉતારો અને પથારી પ્રાપ્ત કરીને વિચારતા હોવાથી તેમને વિહાર ગાલુ છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy