SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા [૨૯ મું ચોમાસું] ચેમાસું પૂરું થતાં ભગવાન રાજગૃહ તરફ ચાલી નીકળ્યા. એ વર્ષની વિહારકથામાં આજીવિકાદિના કેટલાક પ્રશ્ન સિવાય બીજી કશી વિગત નોંધાયેલી મળતી નથી. કેટલાય સાધુઓની ઈચ્છા વિપુલગિરિ ઉપર અનશન વ્રત અંગીકાર કરવાની હતી; અને મગધભૂમિ છોડ ૪ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો; તેથી ભગવાન આ વર્ષ મધમાં વિચર્યા; અને તે [૨૯મા] વર્ષનું માસું પણ તેમણે મગધની રાજધાની રાજગૃહમાં ગાળ્યું. 8. સાલ-મહાસાલન્દશાણ વષકાળ પૂરો થતાં, ભગવાન ચંપા તરફ વળ્યા. પૃઇચંપામાં સાલ-મહાસાલ નામના બે યુવરાજ-બંધુ ભગવાનનાં દર્શને આવ્યા. ભગવાનના ઉપદેશથી તે પ્રતિબોધ પામ્યા; એટલે પિતાના ભાણેજ (પિઠર-યશોમતીના પુત્ર) ગાગલીને રાજ્ય ઉપર અભિષેક કરી, તેઓએ ભગવાન પાસે દીક્ષા લીધી. ચંપાથી નીકળી, ભગવાન દશાર્ણ દેશમાં પધાર્યા. ત્યાં દશાર્ણ નગરમાં દશાર્ણભદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. ભગવાન પધારે છે એવા સમાચાર સાંભળી, તે રાજાએ તેમનું કેઈએ ન કર્યું હોય તેવું ભવ્ય સ્વાગત કરવાનો વિચાર કર્યો. તેણે તે ઈરાદાથી પોતાની સર્વ રાજલક્ષ્મીને ઉપયોગ કરી, ભગવાન મહાવીરનું ભવ્ય સ્વાગત કર્યું, અને પછી ભગવાન પાસે આવીને તે બેઠે. તે વખતે દશાર્ણભદ્ર રાજાને ગર્વ ઉતારવા જાણે ન કરતા હોય, તેમ ઈન્ડે પિતાની સર્વ સ્વર્ગલક્ષ્મીથી ભગવાનનું પૂજન કર્યું. તે દેવસંપત્તિ જોઈ દશાર્ણભદ્ર રાજાનો પોતાની રાજયસંપત્તિ વિષેનો ગર્વ તત્કાળ ઊતરી ગયો; અને તેવી દેવસંપત્તિને પણ તુચ્છ બનાવનાર સર્વોત્તમ મેક્ષ સંપત્તિ પ્રાપ્ત
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy