SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ અતિએ દર વર્ષે સાંભળી. આ ઉપરથી પાછા આવ્યા બાદ તેમણે મહાવીરને તે વિષે પૂછયું. ત્યારે મહાવીરે જણાવ્યું કે, શિવરાજર્ષિનું કહેવું ખોટું છે. હે આયુમન ! આ તિર્યલોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્વત અસંખ્યાત દીપે અને સમુદ્રો છે. આ વાત પણ બધે ફેલાઈ ગઈ. તે સાંભળી શિવરાજર્ષિ શક્તિ, કાંક્ષિત, સંદિગ્ધ અને અનિશ્ચિત થયા. તે મહાવીર પાસે ગયા, અને તેમની પાસે ચર્ચા કરીને તેમણે બધી વાતને ભલી પેરે નિશ્ચય કર્યો. ત્યાર બાદ મહાવીરને કહેલ ધર્મમાર્ગ સ્વીકારી તેમણે પોતાનાં પહેલાંનાં લોઢાનાં ઉપકરણ વગેરેને ત્યાગ કર્યો. પછી અગિયાર અંગે ભણું, તેમ જ વિચિત્ર તપકર્મ કરવામાં ઘણું વરસ ગાળી, અંતે મહિનાના ઉપવાસ વડે તેમણે દેહત્યાગ કર્યો; અને સિદ્ધ બની સર્વ દુઃખને અંત પ્રાપ્ત કર્યો. [ભગવતી શતક ૧૧, ઉદ્દે ૯] ભગવાન મહાવીરના હસ્તિનાપુરના આ નિવાસ દરમ્યાન જ પિદિલ નામના એક ધનિકપુ પણ તેમની પાસે દીક્ષા લીધી. તેનું ૩૨ સ્ત્રીઓ સાથે લગ્ન થયેલું હતું, અને વિપુલ તથા અખૂટ ભોગસામગ્રીની વચ્ચે રહી તે અનુપમ ભોગસુખ ભોગવતા હતા. પરંતુ પછી ધન્યની પેઠે (આગળ પા. ૩૪૨) ભગવાન પાસે દીક્ષા લઈ તેણે ઘણું વર્ષ અને ઉગ્ર ઉપવાસ -તપ આચર્યો. અંતે એક મહિને ખાનપાનને સદંતર ત્યાગ કરી, તેણે દેહત્યાગ સાથે, અને અનુત્તર દેવગતિ પ્રાપ્ત કરી. [૨૮ મું ચોમાસું] ચોમાસું બેસવાનું થતાં, ભગવાન વાણિજ્યગ્રામ-વૈશાલી તરફ વળ્યા. વૈશાલીનું યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું હતું. તે યુદ્ધમાં વાણિજ્યગ્રામને સારી પેઠે નુકસાન થયું હતું; છતાં, ચારે બાજુ વીખરાઈ ગયેલા લેકે હવે મોટે ભાગે પાછા ફરવા લાગ્યા હતા; એટલે ભગવાને ચોમાસું ત્યાં ગાળ્યું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy