SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રી મહાવીરકથા પહેલા ઉપવાસના પારણાને દિવસે તે શિવરાજર્ષિ તડકે તપવાની જગાએથી ઊતરી નીચે આવ્યો, અને વિકલનાં વસ્ત્ર પહેરી, તથા કાવડ લઈ પૂર્વ દિશામાં પાણી છાંટી, પૂર્વ દિશાના સમ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા શિવ રાજર્ષિનું રક્ષણ કરે, અને પૂર્વ દિશામાં રહેલ કંદ-મૂલ-છાલપાંદડાં-પુષ્પ-ફળ-બીજ અને હરિયાળી ગ્રહણ કરવાની અનુમતિ આપે' –એમ કહી, પૂર્વ દિશા તરફ ચાલ્યો અને કાવડ ભરીને પાંદડાં, પુષ્પ, ફળ વગેરે લઈ આવ્યું. પછી ગંગા નદીએ સ્નાન આચમન કરી, દેવતા અને પિતૃકાર્ય કરી, ઝૂંપડીએ પાછો આવ્યો. પાછા આવી, વેદી બનાવીને, અરણું વડે અગ્નિ પાડવો, અને મધ-ઘી-ચોખા વડે હોમ કર્યો. પછી ચરુબલિ તૈયાર કરીને તેના વડે વૈશ્વદેવની પૂજા કરી. એટલું કરી રહ્યા બાદ, અતિથિની પૂજાપૂર્વક તેણે આહાર કર્યો. એ પ્રમાણે બીજા પારણા વખતે દક્ષિણ દિશા અને તેના લોકપાલ મહારાજા યમ; ત્રીજા વખતે પશ્ચિમ દિશા અને તેના લોકપાલ વરુણ મહારાજા અને ચોથે પારણે ઉત્તર દિશા અને તેના લોકપાલ વૈશ્રમણ (કુબેર) મહારાજા સમજવા. એ પ્રમાણે દિચક્રવાલ તપ કરતાં કરતાં તે રાજર્ષિને પ્રકૃતિની ભદ્રતાથી અને વિનીતતાથી આવરણભૂત કર્મોને ક્ષપશમ થતાં વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે તે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો જોઈ શકયા. તે ઉપરથી તેમણે માન્યું કે, ત્યાર પછી દીપ અને સમુદ્રો નથી. તેમના એ જ્ઞાનની વાત હસ્તિનાપુરમાં ફેલાઈ ગઈ. તે અરસામાં જ ઉપર જણાવ્યું તેમ મહાવીર તે નગરમાં આવી પહોંચ્યા. તેમના શિષ્ય ગૌતમે ભિક્ષા માગવા જતાં ગામમાં શિવરાજર્ષિએ જણાવેલી સાત જ દીપ અને સમુદ્રોની વાત ૧. અપૂર્ણ અવધિજ્ઞાન.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy