SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ પર વર્ષો ૩૧ પડે (કે આ સાધુ કયા પંથને છે); તથા સાધુને પિતાને સંયમનિવાહમાં તે ઉપયોગી થાય તેમ જ (પોતે અમુક ધર્મને છે એવું) તેને ભાન રહે.. એ સાંભળી કેશીએ કહ્યું, “હે ગૌતમ તમારી પ્રજ્ઞા સુંદર છે. તમારા ઉચિત ઉત્તરેથી મારા બંને સંશય દૂર થઈ ગયા છે, એમ જાણે.' ત્યાર બાદ કેશીએ ગૌતમને આધ્યાત્મિક સાધનાને અંગે બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછડ્યા; અને તેમણે આપેલા જવાબોથી પ્રસન્ન થઈ, છેલ્લા તીર્થકર મહાવીરના માર્ગ અનુસાર પાંચ મહાવ્રતવાળો ધર્મ શ્રદ્ધાપૂર્વક અંગીકાર કર્યો. [ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય૦ ૨૩] ૨. શિવરાજરિ હસ્તિનાપુરના નિવાસ દરમ્યાન તે નગરના શિવ નામે રાજાએ ભગવાન પાસે દીક્ષા લીધી. તેની કથા આ પ્રમાણે છે : હસ્તિનાપુર નગરના રાજા શિવને ધારિણી નામે રાણી હતી, અને શિવભદ્ર નામે પુત્ર હતો. એક દિવસ તે રાજાને પૂર્વ રાત્રીના પાછલા ભાગમાં રાજ્યકારભારને વિચાર કરતાં કરતાં પોતાના કલ્યાણને વિચાર આવ્યો. તેથી બીજે દિવસે પિતાના પુત્રનો રાજ્યાભિષેક કરી, અન્ય કોઈ દિવસે પોતાનાં સગાંવહાલાં વગેરેની રજા માગી, અનેક પ્રકારનાં લોઢી, કઢાયાં, કડછા વગેરે લોઢાનાં તથા ત્રાંબાનાં બીજાં કેટલાંક ઉપકરણે ઘડાવીને, તે ઉપકરણે માત્ર સાથે રાખી, તે ગંગાકાંઠે વસતા વાનરથ તાપસ પાસે દીક્ષિત થઈ, “દિશાપ્રેક્ષક” તાપસી શ, તથા નિરંતર છ ટંકનો ઉપવાસ કરવાનો નિયમ લઈ રહેવા લાગ્યો. ૧. શુદ્ધિ વગેરે માટે ચાર દિશામાં પાણી છાંટી ફલસૂલાદિ ગ્રહણ કરનાર,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy