SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી મહાવીર કથા વીંઝીને આકાશમાં ઊંચે ઉછાળી. ત્યાર બાદ મનમાં ને મનમાં સમસમી રહીને તેમણે સંકલ્પ કર્યો કે, “મેં આજ સુધી. આચરેલા કઠેર તથા મહાન તપનું કાંઈ ફળ હોય, તો આવતા જન્મમાં હું એ અતુલ પરાક્રમી પુરુષ થાઉં કે જેથી જગતભરને કઈ પણ માણસ મારી અવહેલના ન કરી શકે. વળી મેં કલ્યાણની બુદ્ધિથી આ સાધુજીવન સ્વીકાર્યું છે, અને એ રીતે હું વિશાખનંદીના માર્ગમાંથી આપમેળે નીકળી ગયું છું. તેમ છતાં તે દુષ્ટ મારા પ્રત્યેનો દ્વેષભાવ ભૂલ નથી; માટે આવતા જન્મમાં મારે હાથે તેનું મૃત્યુ થાઓ.” કેણું જાણે શાથી, ત્યાર બાદ મરતા સુધી વિશ્વભૂતિ મુનિ પિતાના આ સંકલ્પને મનમાંથી દૂર કરી શક્યા નહીં. જેટલી ઉગ્રતાથી અત્યાર સુધી તેમણે શરીર-મનને તાવ્યાં હતાં, તેટલી જ ઉગ્રતાથી તેમને આ ભીષણ સંકલ્ય તેમના સમગ્ર ચિત્ત ઉપર અધિકાર જમાવી બેઠે. ટૂંકમાં આ સંકલ્પનું રટણ જ તેમને મુખ્ય જીવન-વ્યાપાર બની ગયું. સામાન્ય જીવનમાં આપણે આવા કેટલાય હાંસીભર્યા કે શરમભર્યા પ્રસંગેને ઓળંગી જઈ શકીએ છીએ. તક્ષણ આપણને ગમે તેટલે ગુસ્સો આવી જાય, પરંતુ સામા માણસની દુધર્ષતાને ખ્યાલ, કે રાજસત્તાને ભય આપણને દબાવી રાખે છે, અને ધીમે ધીમે આપણા દિલમાં લાગેલો ડંખ હળવો થઈ જાય છે, અને અંતે ઘસાઈ જાય છે. પરંતુ જીવનમાં ઉગ્રતાનું જ પરિશીલન કર્યા કરતા તપસ્વીને માટે એ વરતુ શક્ય હેતી નથી. તેણે સિદ્ધ કરેલી તમામ ઉગ્રતા હવે એ દિશામાં જ ઉછાળા મારતી વહેવા માંડે છે; અને તેના જેસને કોઈ પણ વરતુ રેકી શકતી નથી. ઉપરાંત તપને કારણે એવા પુરુષમાં સંકલ્પ અને તેની સિદ્ધિ વચ્ચેનું અંતર પણ એટલું બધું ઓછું થઈ ગયું હોય છે કે, આપણી પેઠે તેને વચગાળામાં
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy