SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરૂકથા આ સાંભળી પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલા ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ નામના સાધુ ગોશાલકને વારવા લાગ્યા, “હે ગશાલક! કેાઈ શ્રમણ બ્રાહ્મણ પાસે એક પણ આર્ય વચન સાંભળ્યું હોય, તો પણ તેને વંદન અને નમસ્કાર કરવા ઘટે છે; તે ભગવાને તો તને દીક્ષા આપી છે, શિક્ષિત કર્યો છે, અને બહુશ્રત કર્યો છે; છતાં તે ભગવાન પ્રત્યે જે અનાર્યપણું તે આદર્યું છે, તે એગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, બીજી નથી.' આ સાંભળી ગોશાલકે ગુસ્સે થઈ પિતાના તપના તેજથી તેમને એક જ પ્રહાર વડે બાળીને ભસ્મ કરી નાખ્યા. તે જ પ્રમાણે તેને સમજાવવા આવેલા ભગવાનના બીજા શિષ્ય અયોધ્યાવાસી સુનક્ષત્રને, પણ તેણે દઝાડીને મરણશરણ કર્યો. ત્યારે ભગવાન મહાવીરે પણ ગોશાલકને તે જ પ્રમાણે કહ્યું. એટલે ગોશાલકે અત્યંત ગુસ્સે થઈ, સાત આઠ ડગલાં પાછા ખસી, ભગવાનના વધ માટે શરીરમાંથી તેલેસ્યા કહી. પણ જેમ કોઈ વટાળિયો પર્વત-ભીંત-કે સ્તૂપને કાંઈ કરી શકતા નથી, તેમ તે તેજલેશ્યા ભગવાન વિષે સમર્થ થતી નથી, પણ ગમનાગમન કરે છે, પ્રદક્ષિણ કરે છે, અને ઊંચે આકાશમાં ઊછળી ત્યાંથી ખલિત થઈ મંખલિપુત્ર ગોશાલકના શરીરને બાળતી બાળતી તેના શરીરમાં જ પેસી જાય છે. ત્યારે ગોશાલકે કહ્યું, “હે કાશ્યપ! મારી તપજન્ય તેલેસ્યાથી પરાભવને પ્રાપ્ત થઈ, તુ છ માસને અંતે પિત્તજ્વરના દાહની પીડાથી છદ્મસ્થ અવસ્થામાં જ એટલે કે (કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જિન બન્યા વિના જ) મરણ મામીશ.' ત્યારે ભગવાને તેને કહ્યું, “હે ગોશાલક, હું તારી તોજન્ય તેલેસ્યાથી પરાભવ પામી છ માસને અંતે મૃત્યુ પામવાનો નથી, પણ બીજાં ૧૬ વર્ષ સુધી જિન તીર્થંકરપણે વિચરીશ; પણ તે પોતે જ તારા તેજથી પરાભવ પામી, સાત રાત્રીને
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy