SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ગણાહકની અંતિમ મુલાકાત બીજે ભવ. પછી ઉદંડપુર નગરની બહાર ચંદ્રાવતરણ ચત્ય વિષે મલ્લરામ નામથી વસવાટને મારે ત્રીજે ભવ. પછી ચંપાનગરીની બહાર અંગમંદિર નામે ચિત્ય વિષે મંડિક નામે વસવાટને મારે ચોથો ભાવ. પછી વારાણસી નગરી બહાર કામ મહાવન ચિત્ય વિષે રેહક નામથી વસવાટને મારે પાંચમે. ભવ પછી આલબિકા નગરીની બહાર પ્રાપ્તકાલ નામે ચિત્ય. વિષે ભારદ્વાજ નામથી વસવાટને મારે છઠ્ઠો ભવ.૫ પછી વૈશાલી નગરીની બહાર કુંડિયાયન ચિત્યને વિષે ગૌતમપુત્રા અર્જુન નામથી વસવાટને મારો સાતમો ભવ. હવે શ્રાવસ્તીમાં હાલાહલા કુંભારણના હાટ વિષે મંખલિપુત્ર ગોશાલક નામે સેળ વર્ષથી મારે આ અંતિમ વસવાટ છે.” આ સાંભળી ટપાટપીના ભાવમાં આવી જઈ ભગવાન મહાવીરે કહ્યું, “હે ગશાલક, જેમ ગામના લેકથી ભાગતે કઈ ચોર કોઈ ખાડે, ગુફા કે આડ ન મળવાથી એક મોટા ઊનના તાંતણાથી, શણુના તાંતણાથી, કપાસના તાંતણાથી અને તૃણના અગ્રભાગથી પિતાને ઢાંકવા પ્રયત્ન કરે, અને પિતે નહીં ઢંકાયેલે છતાં પોતાને ઢંકાયેલ માને, તેમ તું અન્ય નહીં છતાં પિતાને અન્ય દેખાડે છે. એમ કરવું તને મેગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે. બીજી નથી.” આ સાંભળી ગોશાલક વધુ ગુસ્સે થયે. તે બેલ્યા, “તું આજે નષ્ટ વિનષ્ટ અને ભ્રષ્ટ થયો લાગે છે. તું આજે હતોનહતો થઈ જવાનો છે. તને મારાથી સુખ થવાનું નથી.” ૧. ૨૨ વર્ષ જેટલો. ૨. ૨૧ વર્ષ જેટલો. ૩. ૨૦ વર્ષ જેટલે. ૪. ૧૯ વર્ષ જેટલે. ૫. ૧૮ વર્ષ જેટલો. ૬. ૧૭ વર્ષ જેટલો.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy