SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા કારણથી અરિહંત ભગવંતનું છે. તેમને તે દગ્ધ કરવાને સમર્થ નથી; પણ તેમને દુઃખ ઉત્પન્ન કરવાને શક્તિમાન છે. આટલું કહેવા છતાં મહાવીરને મેડું મોડું પણ સમજાયું કે, ગોશાલક સાથે નાહક ઝઘડે ઊભો કરવામાં ઠીક નથી થયું; તેથી તરત તેમણે તે આનંદ મુનિ દ્વારા જ પિતાના સર્વ સાધુઓને તાકીદ આપી કે, ગોશાલક સાથે કઈ પણ બાબતમાં વાદવિવાદમાં ન ઊતરવું; તેમજ તેના સંપ્રદાયની વિરુદ્ધમાં કાંઈ કહેવું કરવું નહીં! પરંતુ હવે મોડું થઈ ગયું હતું, કારણ કે, હજુ આનંદ આવીને બધા સાધુઓને આ સંદેશો કહે છે, તેટલામાં તે ગોપાલક શિષ્ય પરિવાર સાથે વીંટળાઈને મહાવીર હતા ત્યાં આવી પહોંચ્યો, અને મહાવીરને કહેવા લાગ્યા, “હે. આયુષ્માન કાશ્યપગાત્રીય ! “મંખલિપુત્ર ગોશાલક મારે ધર્મસંબંધી શિખ છે' એમ તમે જે કહે છે, તે ઠીક છે, પરંતુ તે વાતને તે સાત-સાત ભવ વીતી ગયા છે. મેં તે હવે અતિ ઉત્તમ રહસ્ય પ્રાપ્ત કર્યું છે, અને તે રહસ્ય અનુસાર જે વર્તે છે, તે અવશ્ય મેક્ષ પામે છે. * હે કાશ્યપ ! મારા કાન પણ વીંધ્યા ન હતા તે વખતે મને કુમારાવસ્થામાં પ્રવજ્યા અને બ્રહ્મચર્ય ગ્રહણ કરવાની ઈચ્છા થઈ એ મારો કૌડિન્યાયનગોત્રીય ઉદાયી નામવાળો પ્રથમ ભવ. પછી રાજગૃહ નગરની બહાર મંડિકુક્ષિ ચૈત્ય વિષે અણેયક નામથી વસવાટ એ મારે આ રહસ્ય વિષે જૈન સૂત્રમાં કશી ઉપયોગી વિગતે સધરાઈ નથી. માત્ર ચોરાસી લાખ મહાક૯૫, સાત દેવભો, સાત સંયુથનિકાય, સાત સંતગર્ભ, સાત પ્રવૃત્તપરિહાર, પાંચ લાખ, સાઠ હજાર, છસે ત્રણ કર્મભેદને ક્ષય, ઇત્યાદિ પારિભાષિક શબ્દો અને ૮૪ લાખ મહાકલ્પનું પરિમાણ – એટલી વિગતો જ સંધરાઈ છે. જુઓ આ માળાનું ભગવતી-સાર’ પુસ્તક પા. ૨૮૯ ઈ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy