SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ગાશાલકની ક્ષતિય સુલાકાત ૩૧ લેકામાં સિદ્ધ તરીકેની નામના મેળવીને લેાકાને ઠંગી ખાતા હતા. તે વખતે તેના અનાચારા બ્રાડા પાડવાના ઉત્સાહમાં મહાવીર એક વિચિત્ર તેમજ કફોડી સ્થિતિમાં સપડાયા હેતા; અને અકસ્માત જ તેમાંથી તેમના છૂટકા થયા હતા. વખતે પણ ગેાશાલકને ઉઘાડે! પાડવાના ઉત્સાહમાં તે એક જીવલેણુ ઝઘડામાં સપડાયા. આ ગાશાલકે ગામમાં ભિક્ષા માગવા આવેલા મહાવીરના શિષ્ય આનમુનિને ખેાલાવીને જણુાવ્યું, ' હું આનંદ! તારા ધર્માચાય અને ધર્મોપદેશક શ્રમણ્ જ્ઞાતપુત્રે ઉદાર અવસ્થા પ્રાપ્ત કરી છે, અને દેવ-મનુષ્યાદિમાં તેમની કીર્તિ અને પ્રશંસા થયેલી છે; પણ જો તે મારી અઢગાઈ કર્યો કરી મને છંછેડશે, તા મારા તપના તેજ વડે હું તેમને બાળીને ભસ્મ કરીશ. માટે જઈને તું તારા ધર્માંચાને એ પ્રમાણે કહે.' આ સાંભળી, ભય પામી આનંદ ઝટપટ પેાતાને ઉતારે પાછા ગયા અને ત્યાં મહાવીરને એ બધી વાત કહી; તથા ગાશાલક તેમને બાળી શકે કે કેમ તે પૂછ્યું, મહાવીરે જવામ આપ્યા કે, ગેાશાલક પેાતાના તપના તેજ વડે ગમે તેને એક ધાએ પાણમય મારણુ મહાયંત્રના આધાતની પેઠે જલદી ભસ્મરાશિ કરવાને સમય છે; પરંતુ મને બાળી ભસ્મ કરવા સમ નથી; અલબત્ત તે મને પરિતાપ કે દુઃખ ઉત્પન્ન કરવા સમ છે. ગેાશાલકનું જેટલું તપરતેજ છે, તેનાથી અનગાર ભગવંતનું ( સાધુનું) અનંતગણું વિશિષ્ટ તપસ્તેજ છે; કારણ કે, અનગાર ભગવત ક્ષમા (ક્રોધનેા નિગ્રહ) કરવામાં સમથ છે. હું આન! અનગાર ભગવંતનું જેટલું તપેામળ છે, તેથી અનંતગણું વિશિષ્ટ તપેાછળ, ક્ષમાના કારણથી સ્થવિર ભગવ ંતા ( વય, શાસ્ત્રજ્ઞાન, અને દીક્ષાસમયની બાબતમાં વડીલ સાધુ) નું છે; અને સ્થવિર ભગવતેાના તપેાક્ષથી અનંતગણું વિશિષ્ટ તપેાબલ ક્ષમાના '
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy