SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ મગધમાં શજ્યાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૧. હહલ અને વિહાની દીક્ષા [૨૬મું ચામાસું ] ભગવાને એ વનું ચેામાસું મિથિલામાં જઈ તે ગાળ્યું. વર્ષાઋતુ પૂરી થતાં, ભગવાન વૈશાલીની નજીક થઈ તે શ્રાવસ્તી તરફ ચાલ્યા. વચમાં કૃષુિકના નાના ભાઈ હુલ્લ અને વિહલ્લે તેમની પાસે દીક્ષા લીધી. તેમની કથા સમજવા માટે, આપણે વૈશાલીના યુદ્ધના પ્રસંગ તરફ કરી પડોંચી જઈ એ. ભગવતીસૂત્રમાં જણાવ્યું છે કે, કૂણિકના વિજયને કારણે ચેટકના પક્ષના નવ લિચ્છવી રાજામ, અને નવ મધુ રાજાએ એમ કાશી કાશકના અઢાર ગણુરાજાએ પરાજય પામી નાસી ગયા. ત્યાર પછીની વિગત હેમચંદ્રાચા` આ પ્રમાણે આપે છે: ચેટક રાજા હવે વિશાલા નગરીમાં પાછેર્યોઃ અને કૂણિકે વિશાલાને ઘેરે ચાલ્યેા. પરંતુ રાજ રાત્રિએ હલ્લ અને વિહલ્લ સેચનક હાથી ઉપર ચડીને કૂણિકના સૈન્યમાં આવી ઘણા કચ્ચરઘાણુ વાળવા લાગ્યા. છેવટે મંત્રીની સલાહથી કૂણિકે તેમના મામાં એક મેટા ખાડા કરાવ્યે, અને તેમાં અંગારા ભરાવ્યા; પછી ઉપરથી તે ખાડાને ઢાંકીને સરખા કરી લેવામાં આણ્યે. રાત્રે હા વિહલ્લ આવ્યા ત્યારે સેચનક તે ખાડા આગળ આવીને ઊભો રહ્યો, પણ આગળ વધ્યેા નહીં. ત્યારે હલ્લ વિહલે માન્યું કે, રણમાં મરવાની બીકને કારણે તે આગળ વધતેા નથી. એટલે તેએાએ તેને ખૂબ ડાર્યો. તેથી જીવ ઉપર આવી સેચનક આગળ વધ્યા તે ખરા, પરંતુ ખાડામાં પડતા પહેલાં તેણે સૂંઢ વડે હા વિહાને સુરક્ષિત રીતે દૂર ફેંકી દીધા, અને પછી પેાતે ખાડામાં ગબડીને પ્રાણ તજ્યા. કુમારેને પેાતાની ભૂલ માલૂમ પડતાં તેઓને ઘણા પસ્તાવા થયા. એ સમજણા મૂક પ્રાણીએ પેાતાના જીવને ૩
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy