SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રી મહાવીર કથા પિતૃસેનકૃષ્ણ, અને મહાસેનકૃષ્ણ – કે જેમના અનુક્રમે કાલ, સુકાલ, મહાકાલ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, પિતૃસેનકૃષ્ણ, અને મહાસેનકૃષ્ણ નામે પુત્રો પિતાના ભાઈ કૃણિકના હુકમને તાબે થઈ વૈશાલી ઉપર ચઢી ગયા હતા, અને ચેટકને હાથે સંગ્રામમાં મરાયા હતા, તેમણે સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી ભગવાન પાસે દીક્ષા લીધી. ભગવાને તેમને આર્યોચંદનાને સુપરત કરી. તેઓ તેમની પાસે સામાયિક વગેરે ક્રિયાઓ તથા અગિયાર અંગગ્રંથ શીખી; તથા ચાર ટંક, છ ટંક, આઠ ટંક, દસ ટંક, બાર ટંક, પંદર ટંક, મહિને વગેરેના ઉપવાસ કરતી, તે બધી વિવિધ તપકર્મો વડે પિતાના આત્માને ભાવિત કરવા લાગી. ત્યાર બાદ તે દરેકે રત્નાવલી, કનકાવલી, સુકસિંહનિષ્ક્રીડિત, મહસિંહનિષ્ક્રીડિત, સસસસમિકા– અષ્ટાછમિકા-નવનવામિકા-દશદશમિકા ભિક્ષુ પ્રતિમા, સુદ્રસર્વતભદ્ર, મહાસર્વભક, ભદ્રોત્તર પ્રતિમા, મુક્તાવલી, અને આયંબિલવર્ધમાન નામનાં વિશેષ તપ અનુક્રમે સ્વીકાર્યું. તે બધાં તપોમાં જુદા જુદા ક્રમે લાંબાટૂંકા ઉપવાસ જ કરવાના હતા; અને તેમાં એકથી માંડી ૧૪ વર્ષ સુધીને સમય લાગતો હતા. તેમની વિગતે આ માળાના “પાપ-પુણ્ય અને સંયમ' પુસ્તકમાં પા. ૧૬૮ થી ૧૭૬ સુધી આપેલી છે. તેથી અહીં તેમની પુનરાવૃત્તિ નથી કરી. રાજરાણુઓ આ કઠોર ઉપવાસ–તપોથી બહુ કૃશ થઈ ગઈ તેમના શરીર ઉપર નર્યા નાડીઓનાં જાળાં દેખાવા લાગ્યાં. એ પ્રમાણે શરીરને બહુ જ નબળું પડી ગયેલું જોતાં તેમણે મારણાંતિક સંલેખના વ્રત સ્વીકારી, અન્નપાનને સદંતર ત્યાગ કર્યો. અને એક મહિનાને અંતે પ્રાણત્યાગ કર્યો. કથાકાર કહે છે, “જે વસ્તુ માટે તેમણે આ બધી કઠોર તપશ્ચર્યા આદરી હતી, તે વસ્તુ છેવટના શ્વાસ વખતે તે બધીઓએ પ્રાપ્ત કરી.”
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy