SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર-કથા તાકત નથી. પરંતુ તમે જરાય લાલચ કે ભયથી પલળીને તેની સામું જોશો કે, તરત હું તમને મારી પીઠ ઉપરથી સમુદ્રમાં ફેંકી દઈશ, અને તે દેવી તત્કાળ તમારે બંને ભાઈઓ તેના કહ્યા પ્રમાણે જ દઢતાથી વર્તવાનું કબૂલ કરી, તેની પીઠ ઉપર આરૂઢ થયા અને ચંપા તરફ વેગથી ગમન કરવા લાગ્યા. લવણસમુદ્રને સાફ કરીને મહેલમાં આવતાં જ દેવીએ તે બંને ભાઈઓને ત્યાં ન જોયા. તે તરત જ બધી હકીકત સમજી ગઈ અને તેમની પાછળ પડી. તેણે પાસે આવી તે બંને ભાઈઓને અનેક પ્રકારનો ભય બતાવ્યો પણ જ્યારે તે જરા પણ ડગ્યા નહીં, ત્યારે તેણે શૃંગારયુક્ત હાવભાવથી તેમને લેભાવવાનો પ્રયત્ન કર્યો. તેનાં પ્રેમ તથા અનુનયયુક્ત મધુર વચનેથી જિનરક્ષિત પીગળી ગયો. અને તેણે તે દેવી તરફ પાછા વળાને પ્રેમપૂર્વક નજર કરી. તરત જ યક્ષે તેને પીઠ ઉપરથી જોરથી સમુદ્રમાં ફેંક્યો, અને પેલી દેવીએ તેને પોતાની તરવાર ઉપર જ અધર ઝીલી લઈ તત્કાળ મારી નાખ્યો. ચંપા આવી પહોંચતાં જ પેલા યક્ષે જિનપાલિતને એક બગીચાની પાસે ઉતારી પાડ્યો. ઘેર જઈ જિનપાલિતે પોતાનાં માતપિતાને રડતાં રડતાં પોતાના વતની અને જિનરક્ષિતના મૃત્યુની બધી હકીક્ત કહી. ત્યાર બાદ સમય જતાં, શેક વિસારે પડતાં સૌ સુખે રહેવા લાગ્યાં. આ અરસામાં ચંપામાં પધારેલા ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળી, પિતાના જીવનની શુદ્ધિ અર્થે માતપિતાની સંમતિથી જિનપાલિતે ભગવાન પાસે દીક્ષા લીધી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy