SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ મગધનાં રાજ્યક્રાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૧૭ તે ઠેકાણે થળી ઉપર એક પુરુષને પરેવેલો હતો, અને તે અસહાયપણે કરુણુ ચીસે પાડયા કરતો હતો. આજુબાજુ પણ તેના જેવા અનેક પુરુષનાં મડદાં સભા કરતાં હતાં. તેને પૂછતાં તે પુરુષે પોતાની બધી આપવીતી કહી સંભળાવી. તે પુરુષ પણ દરિયાઈ સફરે નીકળેલો વેપારી હો, તથા અધવચ વહાણુ નાશ પામતાં દ્વીપ ઉપર તણાઈ આવ્યો હતો. આ દ્વીપની દેવી તેને પોતાના મહેલમાં લઈ ગઈ હતી, અને તેની સાથે વિવિધ કામસુખ ભેગવતે તે આનંદથી રહેતું હતા. પરંતુ છેવટે તો તે માનવી હતો; દેવીની બધી ઈચ્છાઓને અનુકૂળ રહેવું એક સામાન્ય માનવથી જ્યાં સુધી બને અંતે એક દિવસ જરાક વાંકું પડતાં દેવીએ ગુસ્સે થઈ તેની આ વલે કરી હતી. તેને ત્યાં જે કાઈ આવે છે, તેની છેવટે આ વલે જ થાય છે, એમ પણ તેણે જણાવ્યું. આ વાત સાંભળી, બંને ભાઈ એ ભયથી કંપવા લાગ્યા. અને આ દ્વીપમાંથી નાસી છૂટવાને માગે તેને પૂછવા લાગ્યા. પેલાએ કહ્યું, પૂર્વ દિશામાં શૈલક નામના યક્ષનું મંદિર છે. તે યક્ષ ત્યાં અશ્વરૂપે રહે છે. તથા પ્રત્યેક માસની ચૌદશ, આઠમ, અમાસ, અને પૂનમને દિવસ મેટેથી બેલે છે, “કોની રક્ષા કરું?' “કોને તારું?” તમે આ ચૌદશે તેના મંદિરમાં જઈ, તેની પૂજાસેવા કરે, અને તે પૂછે ત્યારે તેને કહે કે, “અમને તાર, “અમારી રક્ષા કર.” તેના કહ્યા પ્રમાણે બંને ભાઈઓએ કર્યું. યક્ષે તેમને કહ્યું કે, “હું ઘોડાને રૂપે તમને મારી પીઠ ઉપર બેસાડીને લવણ-સમુદ્ર પાર કરી આપીશ. પણ તે વખતે પેલી દેવી પાછળ આવી તમને બિવડાવવાનો કે શંગારભર્યા હાવભાવથી લોભાવવાને ખૂબ જ પ્રયત્ન કરશે. તે વખતે તમારે જરા પણ પીગળવું નહીં કે તેના સામું જોવું નહીં. કારણ કે જ્યાં સુધી તમે મારી પીઠ ઉપર હશે ત્યાં સુધી તમને હાથ લગાડવાની કોઈની
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy