SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ ભવ વિશ્વભૂતિની કથા ૨૫ ગ. “બધાં જ મતલબનાં સગાં છે! વસ્તુતાએ પિતાનું કેણ છે? નહીં તે, વડીલ થઈને રાજાજી આવું કરે ? સંસારના બધા જ ભેગો આવા છે. તેમને મેળવવા તથા ભોગવવા આ પ્રમાણે નિકટનાં સગાંસંબંધી સાથે પણ ઠગાઈ કરવી પડે છે. એ ભેગો જૂ, હિંસા, ચોરી આદિ મહાદોષોનું મૂળ છે. તેવા ભોગો ન ભોગવવા એ જ હિતકર છે.” આવું આવું વિચારી તે બારોબાર જ સંભૂતિ નામના મુનિ પાસે ગયે, અને તેમની પાસે દીક્ષા લઈને તેણે સંસારત્યાગ કર્યો. થોડીવારમાં વિશ્વનંદી રાજાને વિશ્વભૂતિ કુમાર પાછો આવ્યાની, તથા ઉદ્યાન બહાર બનેલા બનાવને અને તે તેણે બારોબાર દીક્ષા લીધાની ખબર પડી. આથી ઘણો જ શરમાઈ જઈ તથા દુ:ખી થઈ, તે વિશ્વભૂતિ પાસે આવ્યા, અને શોક કરતે કરતો કહેવા લાગ્યોઃ “હે પુત્ર! તારા ઉપર મારે કે ગાઢ પ્રેમ હતો તે તું જાણે છે; મને તારા ઉપર કેટકેટલી આશાઓ હતી. તું કદાપિ મને પૂછયા વિના કાંઈ કરતો નહીં, કે મારી આજ્ઞા ઉથાપતો નહીં. તો આ વખતે મને પૂછયાગાળ્યા વિના આવું ઉતાવળું પગલું તે કેમ ભર્યું? પુષ્પકરંડક ઉદ્યાનવાળા બનાવની મને ખબર છે. પરંતુ હું તને એ પુષ્પકરંડક ઉદ્યાન આપી દઉં છું, એટલું જ નહીં, પરંતુ મારું આખું રાજ્ય તને જ આપી દઉં છું. પરંતુ કુટુંબલેશ પતાવવાના કારણે મેં જે થોડીસરખી ભૂલ કરી, તેની આટલી મોટી કાયમની સા મને કરવી એ મારા ઉપર પ્રેમભક્તિ રાખનારા તને ચોગ્ય નથી.” આ પ્રમાણે રાજાએ ખરા દિલથી કુમાર આગળ પિતાની ભૂલને પસ્તા જાહેર કર્યો, તથા તેને ઘણું ઘણું રીતે સમજાવ્યા, પણ વિશ્વભૂતિ એકને બે ન થયું. તેણે જવાબ આપ્યો, “પુષ્પકરંડકનો બનાવ તો નિમિત્ત માત્ર છે. તેમજ આપના પ્રત્યે પણ મને ખાસ દેષબુદ્ધિ નથી. પરંતુ આ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy