SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા પામે; અને થોડા દિવસ પુરુષસિંહના આતિને મનમાન્ય ઉપભોગ કરી, તેની બાબતમાં રાજાને મળેલી બેટી માહિતી બાબત મનમાં મૂંઝાતા પિતાને દેશ પાછો ફર્યો. આ તરફ વિશ્વભૂતિ દૂર થતાં, વિશ્વનંદી રાજાએ વિશાખનંદી કુમારને બેલાવીને કહ્યું કે, તું હવે નિઃસંકોચ પુષ્પકરંડક ઉદ્યાનમાં વિહાર કર. થોડા વખત બાદ વિશ્વભૂમિ પાછો આવ્યો, ત્યારે આવતાં વેંત ઉદ્યાનક્રીડાની આસક્તિને લીધે તે સીધે પુષ્પકરંડક તરફ ગયો. ત્યાં દ્વારપાળે તેને જણાવ્યું કે અંદર વિશાખનંદી કુમાર અંતઃપુર સાથે વિહાર કરે છે, માટે આપ અંદર જઈ શકશે નહીં. આ સાંભળી વિશ્વભૂતિએ ચિડાઈ જઈ તેને પૂછયું કે, તેણે ક્યારને આ બગીચામાં પગપેસારો કર્યો છે? દ્વારપાલે કહ્યું કે, “આપ અહીંથી પધાર્યા તે દિવસથી જ.' એ જવાબ સાંભળતાં જ કુમારના મનમાં અચાનક પ્રકાશ પડયો. તે સમજી ગયો કે, મને આ ઉદ્યાનમાંથી ખસેડવા ખાતર જ રાજાએ પુરુષસિંહના દોહનું ખોટું બહાનું કાઢીને મને દૂર મોકલી દીધો હતો. ગુસ્સાના માર્યા તેણે પાસેના એક કાઠાના ઝાડ ઉપર મુક્કી મારી; અને તૂટી પડતાં કેઠાં બતાવીને વિશાખનંદીના અનુચરોને કહ્યું, “હરામખોર, આ કાઠાંની પેઠે હમણાં તમારાં માથાં ટપોટપ જમીન ઉપર ગબડાવી પાડત; પરંતુ રાજાજીની આમન્યા નડે છે. બાકી, મેં જે ઉદ્યાનને ત્યાગ નથી કર્યો, તેમાં તમે ઘૂસવાની હિંમત જ કેવી રીતે કરે.!' - જે રાજા પ્રત્યેની ભક્તિને ખાતર પોતે રણસંગ્રામનું જોખમ વહોરવા તૈયાર થયો હતો, તે રાજા માત્ર રાણીની ભેરવણથી પિતાને આ રીતે છેતરીને દૂર કરે, અને પિતાન પુત્રની અને પિતાની વચ્ચે આવો ભેદભાવ રાખે, એ જોઈ તેને સંસારનાં તમામ સગાંસબંધીઓ ઉપર વરાગ્ય આવી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy