SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર-થા તે બધું પિતા શ્રેણિક કરાવે છે, એમ તે માનતા. એ કારણે કેદમાં નંખાવ્યા બાદ કુણિક શ્રેણિક ઉપર બહુ ત્રાસ ગુજારતો. કોઈને તેની પાસે જવાની પરવાનગી ન હતી. માત્ર ચેલણરાણીને જતી રોકી ન શકાય, એટલે તેને જ ત્યાં જવાની ટ હતી. કુણિકનો. ઈરાદો શ્રેણિકને માર મારી, ભૂખે મારી નાખવાનું હતું. પરંતુ ચેલણ પિતાને કેશપાશ સો વાર ધોયેલી તીવ્ર સુરા વડે ભીંજાવીને તથા અંદર અડદને લાડુ છુપાવીને કેદખાનામાં જતી. એ કેશપાશ નિચોવીને પેલી સુરા તે રાજાને પાતી, અને લાડુ ખાવા આપતી, તેથી માર અને ભૂખનું દુઃખ તેને બહુ ન જણાતું. કૃણિક રાજા એક વાર જમવા બેઠા હતા. સાથે ખોળામાં તેને પ્રિય પુત્ર ઉદાયી હતા. સામે કૃણિકની માતા ચલણ બેઠી હતી. જમતાં જમતાં વચ્ચે ઉદાયીએ મૂત્રાત્સગ કર્યો, અને તેની ધાર ભજન ઉપર પડી. પરંતુ પુત્રના પેશાબને વેગ ન રોકાય તે માટે કુણિકે તેને જરા પણ ખસેડ્યો નહીં. વળી મૂત્ર વડે ઇટાયેલું ભોજન પણ પોતાના હાથ વડે જ થાળમાં થોડું દૂર કરી, બાકીનું ભેજન તે ખાવા લાગે. ચેલ્લણુંરાણુએ પ્રસંગ જોઈ તે વખતે પુત્રપ્રેમની વાત કાઢી. તથા શ્રેણિક રાજાએ ઉકરડેથી તેને આગ્રહ કરી કે પાછો તેડાવ્યો હતા, તથા ઉકરડા ઉપર હતો ત્યારે કૂકડાએ મારેલી ચાંચથી તેની આંગળી પાતાં તેની વેદના ઓછી કરવા રાજા તેની પરુવાળી આંગળી પણ કેવી મોંમાં રાખી મૂક્તા વગેરે વાતો તેને કહી સંભળાવી. આથી કૃણિકને બધી વાત સમજાઈ. તે તરત પશ્ચાત્તાપને માર્યો હાથમાં કુહાડો લઈ પિતાને હાથે જ રાજાની બેડી તેડવા કેદખાના તરફ દો. પરંતુ શ્રેણિક તેને એ રીતે ૧. પાવતી રાણીથી થયેલો. ૨. નિરયાલીસૂત્રમાં તે કુણિક જ્યારે ચેન્નાને વંદન કરવા આવ્યો ત્યારે આ વાત થયેલી જણાવી છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy