SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મગધમાં રાજ્યક્રાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૧. શ્રેણિકનું અપમૃત્યુ હવે આગળનો ભગવાન મહાવીરને વિહારક્રમ સમજવા માટે આ અરસામાં મચેલી એક રાજકીય કાંતિનો ઈતિહાસ જાણતા જવું જોઈએ. શ્રેણિકરાજાનું રાજ્ય બહુ લાંબું પહોંચ્યું. હિંદુ, બૌદ્ધ બંને પરંપરાઓ તેના રાજકાળને ૫૧ કે ૨૨ વર્ષ જેટલો લાંબે ગણાવે છે. તેના પુત્ર કુણિક-અજાતશત્રુને આ વાત વસમી થઈ પડી. આ ડોસે ક્યારે મરશે, અને ગાદી ખાલી કરશે એ વિચારમાં ને વિચારમાં તેને એક અવળી બુદ્ધિ સૂઝી. તેણે શ્રેણિકને કેદખાનામાં નાખ્યો અને પોતે રાજગાદી ઉપર બેઠે. જૈન નિરયાવલી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે તેણે પોતાના બીજા એરમાન ભાઈ એ કાલ વગેરેને બોલાવીને પહેલાં તો પખમાં લીધા હતા; અને ત્યાર બાદ શ્રેણિકને કેદમાં નાખ્યો હતે. કુણિક જ્યારે ગર્ભાવસ્થામાં હતા, ત્યારે તેની માતાને શ્રેણિકનું માંસ ખાવાનો દેહદ થયો હતો. એ ઉપરથી ગર્ભસ્થ બાળક પિતાને અહિતકર નીવડશે એમ માની તેની માતાએ તેને જન્મતાં વેંત ઉકરડે નંખાવી દીધું હતું. પરંતુ પછી શ્રેણુકરાજાના આગ્રહથી રાણીએ તેને પાછો મંગાવી ઉછેર્યો હતો. પરંતુ તેનું મન તેના પ્રત્યે કદી સારા ભાવવાળું થયું હતું નહીં. તેથી અન્ય કુમાર સાથેની અને તેની સાથેની વર્તણૂકમાં માતા ફેર પડવા જ દેતી. કૃણિક આ બધું સમજતો; પરંતુ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy