SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ મો માથા કુહલ થયાં. તેથી તે જોઈતી ભિક્ષા મેળવીને પાછા ભગવાન મહાવીર પાસે આવ્યા; અને પોતાની શંકા પૂછવા લાગ્યાઃ “ભગવન! એ સાધુઓએ આપેલ જવાબ સાચે છે? તેઓ એવા પ્રકારને જવાબ દેવા સમર્થ છે? તેઓ વિપરીત જ્ઞાન વિનાના છે? સારી પ્રવૃત્તિવાળા છે? અભ્યાસીઓ છે? તથા વિશેષ જ્ઞાની છે?” - ભગવાને જવાબ આપ્યો, “હે ગૌતમ! તે સાધુઓએ સાચું જ કહ્યું છે; તેઓ એવા પ્રકારને જવાબ દેવા સમર્થ છે; તેઓ વિપરીત જ્ઞાન વિનાના, તેમ જ વિશેષજ્ઞાની ઇ છે. હું પિતે પણ એમ જ કહું છું, તથા જણાવું છું.' હવે ગૌતમે ભગવાનને પૂછયું : હે ભગવન! તેવા વિપરીત જ્ઞાન વિનાના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી, તેમજ વિશેષ જ્ઞાની શ્રમણ કે બ્રાહાણની પપાસના કરનાર મનુષ્યને શું ફળ મળે?' ભગવાને કહ્યું: હે ગૌતમ! સજજનની પર્યપાસનાનું ફળ શ્રવણ છે; શ્રવણનું ફળ જ્ઞાન છે; જ્ઞાનનું ફળ વિજ્ઞાન (વિવેકજ્ઞાન) છે; વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન (પાપને ત્યાગ) છે, પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે; સંયમથી પાપકર્મનાં દ્વારે બંધ થાય છે; પાપકર્મનાં દ્વાર બંધ થવાથી તપાચરણ શક્ય બને છે; તપાચરણથી આત્માને કર્મરૂપી મેલ સાફ થાય છે; તેમ થવાથી સર્વ પ્રકારના કાયિક, માનસિક અને વાચિક વ્યાપારનો નિરોધ થાય છે; અને તે નિરોધથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. [ભગવતી શતક ૨, ઉદ્દે ૫] [ ૨૪મું ચોમાસું] આગળ જેમની કથા આવેલી છે, તે અભયકુમાર વગેરે મુનિઓએ આ અરસામાં જ ભગવાનની અનુમતિથી મારણાંતિક સલેખના વડે દેહ તન્યા હતા. તેથી ભગવાને આ વર્ષનું ચોમાસું રાજગૃહમાં જ વીતાવ્યું હતું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy