SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ મગધમાં રાજ્યક્રાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૩૫ આવતા જોઈ, ‘ એમને મારવા જ આવે છે' એમ માની જાતે આપઘાત કરી મરણ પામ્યા. કૂણિક માથું કૂટીને રહ્યો. પછી પેાતાના પિતાનાં સ્મરણચિહ્નોથી ભરેલા રાજગૃહ નગરમાં તેને ચેન પડવા ન માંડયું. આથી તેણે પેાતાની રાજધાની ચંપામાં ખસેડી. અને જ્યાં રાજધાની ત્યાં જ વેપારી તેમ જ રૈયત ખવાનાં પગલાં વળે, એ સ્વાભાવિક છે. ૨. પદ્માદિ કુમારની દીક્ષા - --- ભગવાન મહાવીર પણ રાજગૃહથી નીકળી ચંપા તરફ વળ્યા. આ વખતે તેમના ચંપાના વાસ દરમ્યાન શ્રેણિક રાજાના પાત્રો – પદ્મ, મહાપદ્મ, ભ, સુભદ્ર, મહાભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિતીગુલ્મ, આનંદ અને નન એ દૃશ જણાએ તેમને ધર્મોપદેશ સાંભળી, તેમની પાસે દીક્ષા લીધી. તેમનાં માતપિતાએ — જેમકે પદ્મની માતા પદ્માવતી, અને પિતા કાલ,૧ મહાપદ્મતી માતા મહાપદ્મા, અને પિતા સુકાલ ૪૦~ તે બધાને લાડપાડમાં ઉછેર્યાં હતા; તથા તેમને સુખભેાગતી મણુા ન હતી. તેમ જ તેમનાં માપિતાએ તેમને સમજાવ્યા પણુ ખૂબ; પરંતુ છેવટે એ બધાના નિશ્ચય જ વિજયી નીવડયો. અને તેઓ દીક્ષિત થવાની પરવાનગી મેળવીને જ જંપ્યા. દીક્ષિત થઈ તે તેમણે શાસ્ત્રાભ્યાસ યથાવિધિ કર્યો તથા આકરાં તપે હસતે મેઢે સ્વીકાર્યાં, અને પાર પાડયાં. છેવટે સૌ યથાસમયે મૃત્યુ પામી, દેવગતિ પામ્યા. www ૩. જિનપાલિતની કથા ભગવાન મહાવીર પાસે આ સમયે જ માર્કદીના પુત્ર જિનપાલિતે પણ દીક્ષા લીધી. તેની જીવનકથા આ પ્રમાણે છેઃ ૧. કાલ વગેરે દશ ભાઈઓનાં નામ આગળ પા. ૩૭૨ ઉપર આવશે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy