SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસથી વીસમા સુધીનાં વર્ષે ૩૫૫ તે પરિવ્રાજક કાત્યાયન ગાત્રનો હતો, ગર્દભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય હતા, તથા શ્રાવસ્તીમાં રહેતો હતો. તે ચાર વેદને, પાંચમા ઈતિહાસ-પુરાણને અને છઠ્ઠા નિઘંટુ નામના કોશને સાંગોપાંગ ધારણ કરનાર હતો, તથા તે સંબંધી ભૂલે સુધારનાર હતો. તે ષડંગને પણ જાણકાર અને ષષ્ટિતંત્ર (કાપલીય શાસ્ત્ર) માં વિશારદ હતો. વળી ગણિત, શિક્ષા કલ્પ, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ, જ્યોતિષ, તથા બીજા પણ અનેક બ્રાહ્મણ અને પરિવાજક સંબંધી નીતિશાસ્ત્રો તથા દર્શનશાસ્ત્રામાં તે નિપુણ હતો. તે જ નગરીમાં પિંગલ નામને મહાવીર ભગવાનને અનુયાયી નિગ્રંથ સાધુ રહેતો હતો. તેણે એક દિવસ સ્કંદક પાસે જઈ તેને આક્ષેપપૂર્વક લેક, જીવ, સિદ્ધિ, સિદ્ધ, તથા મરણ વિષે પૂછયું. એ બધા પ્રશ્નો સાંભળી &દકને શંકા, કાંક્ષા, અને અવિશ્વાસ ઉત્પન્ન થતાં તેની બુદ્ધિ કુકિત થઈ ગઈ, અને તે બહુ કલેશ પામે; તથા કાંઈ જવાબ ન આપી શકવાથી મૌન રહ્યો. દરમ્યાન ભગવાન મહાવીરને કૃતંગલા નગરીમાં પધારેલા જાણી, તે પિતાનાં ચિહ્ન, પાત્ર, સાધન વગેરે લઈને કૃતંગલા આવ્યું. તેના આવતા પહેલાં મહાવીરે દિવ્ય જ્ઞાનથી તેના આવવા નીકળ્યાની હકીકત જાણું લઈ, ગૌતમને કહી બતાવી. આથી ગૌતમ તેને સામા જઈને મળ્યા, તથા તે શા માટે આવ્યો છે વગેરે વાતો તેને કહી બતાવી. કંદકે નવાઈ પામી પૂછયું, આ બધું તમને કોણે કહ્યું? ત્યારે ગૌતમે મહાવીર ભગવાનનું નામ લીધું. પછી બંને મહાવીર પાસે ગયા. મહાવીર ભગવાન તે સમયે હમેશ ભોજન કરતા હતા. તેથી તેમનું શરીર ઉદાર, શણગારેલા જેવું, કલ્યાણરૂપ, શિવ૨૫, ધન્ય, મંગલરૂપ, અલંકાર વિના પણ શોભતું, તથા સારાં લક્ષણે, ચિહ્નો અને ગુણેથી યુક્ત હતું. તેમને જોઈ સકંદક
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy