SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫) શ્રી મહાવીરકથા અત્યંત હર્ષ પાપ, તથા તેણે પુલક્તિ ચિત્તે તેમને વંદનાદિ કર્યો. ભગવાને તેને પિંગલકના પ્રશ્નો વગેરેની વાત કહી સંભળાવી, તથા તેના જવાબ પણ કહી સંભળાવ્યા. એ સાંભળી, રકંદિક પરિવ્રાજક બોધ પામ્યો, અને ભગવાન પાસે તેમના માર્ગની દીક્ષા માગવા લાગ્યો. તે બોલ્યો, “હે ભગવન ! ઘડ૫ણુ અને મેતના દુઃખથી આ લોક સળગેલે છે. જેમ કેઈ ગૃહસ્થ પોતાના સળગતા ઘરમાંથી બહુ મૂલ્યવાળા અને ઓછા વજનવાળા સામાનને બચાવી લે છે, કારણ કે તે સામાન પણ તેને આગળ પાછળ હિતરૂપ, સુખરૂપ, કુશળરૂપ અને છેવટે કલ્યાણુરૂપ થાય છે, તેમ મારે આમા પણ એક જાતના બહુમૂલ્ય સામાનરૂપ છે; તે ઈષ્ટ છે, કાંત છે, પ્રિય–સુંદર - મનગમતો - સ્થિરતાવાળે – વિશ્વાસપાત્ર-સંમતઅનુમત – બહુમત – અને ઘરેણાના કરંડિયારૂપ છે. માટે તેને ટાઢ-તડકે, ભૂખ-તરસ, ચેર–વાઘ, કે સંનિપાતાદિ રેગે, મહામારીઓ, અને પરિષહ તથા ઉપસર્ગો નુકસાન કરે, ત્યાર પહેલાં તેને તે બધામાંથી બચાવી લઉં, તે તે આત્મા મને પરલેકમાં હિતરૂપ, સુખરૂ૫, કુશળરૂપ, અને પરંપરાએ કલ્યાણરૂપ થશે. માટે હે દેવાનુ પ્રય! હું ઈચ્છું છું કે, આપની પાસે હું પ્રવૃજિત થાઉં, મુંડિત થાઉં, પ્રતિલેખનાદિ આચારક્રિયાઓ શીખું, તથા સત્ર અને તેના અર્થે ભણું. હું ઇચ્છું કે, આપ આચાર, વિનય, વિનયનું ફળ, ચારિત્ર, પિંડવિશુદ્ધિ, સંયમમાત્રા, અને સંયમના નિર્વાહક આહારનું નિરૂપણ પછી ભગવાને પિતે જ તેને પ્રવજિત કર્યો અને પોતે જ તેને ધર્મ કહ્યો. સ્કંદ મુનિ ભગવાનને ઉપદેશ સારી ૧. તે બધાની વિગત માટે જુઓ આ માળાનું ભગવતી-સાર પુસ્તક, પા. ૧૭૪ ઇ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy