SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી મહાવીર-કથા ઘેર પાછી ચાલી ગઈ અને મહાશતકના કહ્યા પ્રમાણે સાત રાતમાં મરણ પામી નરકગતિએ ગઈ. તેવામાં ભગવાન મહાવીર રાજગૃહમાં ફરી પાછા આવી પહોંચ્યા. તેમણે પિતાના પટ્ટશિષ્ય ગૌતમને બોલાવીને રેવતી તથા મહાશતક વચ્ચે થયેલે વિખવાદ કહી સંભળાવ્યો; તથા જણાવ્યું કે, અંતિમ સંલેખના વ્રત સ્વીકારીને રહેતા શ્રમણોપાસકે સાચું હોય તે પણ અનિષ્ટ અને અપ્રિય વચનેથી કોઈને કાંઈ કહેવું ન ઘટે, તથા ક્રોધ ન કરવો ઘટે. માટે તું તેની પાસે જઈ, તેને આ વાત કહે, અને પ્રાયશ્ચિત્ત કરાવી તેને શુદ્ધ કર ગૌતમ દ્વારા ભગવાનને સંદેશ સાંભળી મહાશતક પ્રાયશ્ચિત સ્વીકારીને શુદ્ધ થયું. આમ ૨૦ વર્ષનું શ્રમણોપાસકપણું ધારણ કરી, છેવટે ૬૦ ટંક ભારણુતિક સંલેખના વ્રતમાં ગાળી તે મરણ પામ્યો અને દેવગતિએ ગયો. [૨૨મું ચોમાસું] ભગવાને પોતાના દીક્ષાજીવનના આ બાવીસમા વર્ષને ચાતુર્માસ રાજગૃહમાં ગાળ્યું. તે દરમ્યાન કેટલાક પાર્શ્વનુયાયી સાધુઓ સાથે તેમને લેક અને કાળ (રાત-દિવસ) સંબંધી કાંઈક પ્રશ્નોત્તર થયા, અને અંતે તે સાધુઓએ મહાવીશ ભગવાનને “સર્વજ્ઞ” તથા “સર્વદર્શી' તરીકે સ્વીકારી, તેમને ધર્મમાર્ગ સ્વીકાર્યો. ૫. કદ કાત્યાયન વર્ષાવાસ પૂરો થતાં ભગવાન પશ્ચિમ દિશા તરફ ચાલ્યા. માર્ગમાં તે કૃતંગલા નગરીમાં આવી પહોંચ્યા. અને તેની બહાર આવેલા છત્રપલાશક નામે ચિત્યમાં ઊતર્યા. તેમને આવેલા જાણે અનેક સ્ત્રી-પુરુષો તેમના દર્શને આવ્યાં. તેમાં સ્કંદક નામે પરિવ્રાજક પણ આવ્યા. ૧. ભગવતીસૂત્ર શતક ૫, ઉદ્દે ૯.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy