SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ એકવીસથી ચાવીસમા સુધીનાં વર્ષો વૈશાલીથી નીકળી, ભગવાન મિથિલા તરફ ગયા. ત્યાંથી કાકંદી, શ્રાવસ્તી થઈને પાંચાલ, સૂરસેન, કુરુ આદિ પશ્ચિમ ભારતના અનેક દેશમાં આ વર્ષે તે વિચર્યા. ભગવતીસૂત્ર, વિપાકશ્રત, ઉપાસકદસા આદિ સૂત્રગ્રંથમાં ભગવાન અહિચ્છત્ર, ગજપુર, કાંપિલ્પ, પિલાસપુર આદિ નગરમાં વિચર્યોના જે ઉલ્લેખો આવે છે, તે બધા આ વર્ષને લગતા જ હોય એમ લાગે છે. તે બધાં સ્થળોમાં બનેલા કેટલાક મુખ્ય મુખ્ય પ્રસંગોની કથા જ અહીં નોંધતા જઈએ. ૧. ધન્યની કથા કાકંદીમાં ભદ્રા નામે શેઠાણું રહેતી હતી. તેને ધન્ય નામે પુત્ર હતો. તેને બહુ લાડપાડમાં ઠાઠ-માઠથી ઉછેરવામાં આવ્યો હતો, તથા જુવાનીમાં આવતાં ખાનદાન કુળની તથા સમૃદ્ધ ઘરની ૩૨ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો હતો. ભદ્રા શેઠાણીએ તે દરેક સ્ત્રી દીઠ એક એક મહેલ પુષ્કળ સાધનસંપત્તિથી સજાવીને તૈયાર કરાવ્યો હતો અને પહેરામણીમાં તે દરેકને પુષ્કળ પ્રીતિદાન આપ્યું હતું. ધન્ય પિતાની યુવાન અને સ્વરૂપવતી સ્ત્રીઓ સાથે અનેક પ્રકારનાં નાટય-ગીત-નૃત્ય વગેરેથી આનંદ કરતો, તથા ઋતુ અનુસાર ભોગ ભોગવતો વિહરતો હિતો. આ અરસામાં ભગવાન મહાવીર તે નગરીમાં પધાર્યા. ધન્ય પણ અનેક લેકે ભેગે તેમનાં દર્શને ગયો, અને ભગવાનના ઉપદેશબાણુથી વીંધાઈ, દીક્ષા લેવાની પરવાનગી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy