SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા તેની અવજ્ઞા કરીને તેને કાઢી મૂકી. ત્રીજે દિવસે ખેદપૂર્વક આજીજી કરતી તે દૂતી ફરી પાછી આવી, ત્યારે પેલી બે જણઓએ તેને કહ્યું કે, આ અમારે સદાચારી ભાઈ અમારી રક્ષા કરે છે, એટલે અમે તને આમ તિરસ્કાર કરી કાઢી મૂકીએ છીએ. પણ આજથી સાતમે દિવસે તે બહારગામ જનાર છે. તે વખતે રાજાએ અહીં ગુપ્ત રીતે આવવું. હવે અભયકુમારે પ્રદ્યોત રાજાની સમાન આકૃતિવાળા પિતાના એક માણસને કૃત્રિમ ગાંડે કરી રાખે. અને તેનું નામ પ્રદ્યોત પાડયું. અભયકુમાર રોજ તેને વૈદ્યને ત્યાં માંચામાં બાંધી રસ્તા વચ્ચે થઈને લઈ જતો. તે વખતે પેલ ગાંડે માણસ બૂમો પાડતો કે, “હું પ્રદ્યોત છું, મને આ હરી જાય છે, પકડો, બચાવો, બચાવો ! ” લેકે વારંવાર એ દેખાવ જોઈને ટેવાઈ ગયા. પછી વાયદાને સાત દિવસ આવ્યો, એટલે પ્રવાત ગુપ્તપણે અભયકુમારને ઉતારે આવ્યો. તત્કાળ અભયકુમારના સુભટોએ તેને બાંધી માંચા ઉપર નાખ્યો, અને ધોળે દિવસે શહેરની વચ્ચે થઈને લીધે. પ્રદ્યોત ઘણુય બૂમ પાડવા લાગ્યો; પણ બધાએ માન્યું કે, આ તે પેલે ગાંડ પ્રદ્યોત બૂમ પાડે છે ! - રાજગૃહમાં લઈ ગયા બાદ, અભયકુમારે અલબત્ત તેને છોડી દીધું. એક વખત કેઈ કઠિયારાએ ગણધર સુધર્મા પાસે રાજગૃહમાં દીક્ષા લીધી. પછી જ્યારે તે ભિક્ષા માગવા નગરમાં નીકળતા, ત્યારે તેને ઓળખતા લકે તેને ટાણો મારતા કે, “મહેનતમજૂરી કરવી પડતી હતી, તે મફતનું ખાવા ભિક્ષુક થયા!” આથી કંટાળીને તે કઠિયારે સુધર્માને કહેવા લાગ્યો કે, ચાલો આપણે બહારગામ ચાલ્યા જઈએ. અભયકુમારના
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy