SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વર્ષ ૦૭૯રાખેલા રથમાં તેને નાખી, ઝટ ઉજજયિની પહોંચાડી દીધે. રાજાએ તેને કાઇના પાંજરામાં પૂર્યો. પરંતુ બુદ્ધિશાળીની બુદ્ધિને ગમે ત્યારે ખપ પડયા વિના રહેતું નથી. ચાર જુદા જુદા પ્રસંગોએ પ્રલોતરાજને અભયદેવની સલાહ લેવી પડી; અને તે ચારે વખતે અભયકુમારે આપેલી સલાહ હિતકર નીવડવાથી દરેક વખતે પ્રોત અભયકુમારને મુક્ત સિવાય બીજું ગમે તે એક વરદાન માગવાનું કહીને કુલ ચાર વરદાન આપ્યાં. અભયકુમારે તે ચાર વરદાન એકઠાં થવા દીધાં, અને પછી એકસામટાં આ પ્રમાણે માગ્યાં: “તમે તમારા પ્રિય નલગિરિ હાથી ઉપર મહાવત થઈને બેસે; હું પાછળ અંબાડીમાં તમારી પ્રિય રાણું શિવાદેવીના ખેાળામાં બેસું; પછી તમારા પ્રસિદ્ધ અગ્નિભી૨ રથને ભાગીને તેનાં લાકડાંની ચિતા સળગાવો; અને તેમાં આપણુ ચારે પ્રવેશ કરીએ!” કહેવાની જરૂર નથી કે, પ્રદ્યોતે અભયકુમારને છોડી મૂકવાના બદલામાં એ ચાર વરદાન માફ કરાવ્યાં! જતી વખતે અભયકુમાર કહેતો ગયો કે, તમે તો મને છેતરીને ગુપચુપ પકડી લાવ્યા હતા. પરંતુ હું તો તમને ધોળે દિવસે, ભર બજારે હરી જઈશ! અભયકુમારે પિતાને દેશ પાછા આવી વેપારીને વેશ લીધે, અને પોતાના દેશમાં સુંદરમાં સુંદર ગણાતી બે ગણિકાપુત્રીઓને સાથે લીધી. ત્યારબાદ ઉજજયિનીમાં આવી રાજમાર્ગ ઉપર ઘર ભાડે રાખ્યું. એક વખત પ્રદ્યોત તે રસ્તે થઈને જ હશે, ત્યારે રાજાની સવારી જેવાને મિષે તેના તરફ વિલાસપૂર્વક જેતી તે બે સુંદરીઓને તેણે જોઈ મેહિત થઈ તેણે એક દૂતીને તેમની પાસે મોકલી. પેલીઓએ રોષથી તેનો તિરસ્કાર કરી, તેને કાઢી મૂકી. પેલી દૂતી બીજે દિવસે ફરી આવી; તે વખતે પણ તેઓએ કાંઈક ધીમેથી પણ રેષપૂર્વક
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy