SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરૂકથા માણસ ફૂટલાં છે. તમે તેમના તંબૂઓની જમીન ખેડી જોશે તો તમને ખાતરી થશે કે, તે બધાઓએ શ્રેણિક રાજા પાસેથી લાં લીધેલી છે, અને તેઓ તમને હણવા કબૂલ થયા છે. પ્રદ્યોતે એક-બે તંબુઓ છેદાવ્યા, તે ત્યાં શ્રેણિકના સિક્કા નીકળ્યા. આથી ભયભીત થઈ, બધા લશ્કરને પડતું મૂકી, તે પોતાના નગર તરફ વીજળી-વેગે નાઠે! પ્રદ્યોત જતાં તેનું આખું લશ્કર પણ વેરણછેરણ થઈ ગયું. પ્રદ્યોતને જ્યારે અભયકુમારની બધી યુક્તિની ખબર પડી, ત્યારે અભયકુમારને જીવતો પકડી લાવનારને આગળ આવવા માટે તેણે દરબારમાં બીડું ફેરવ્યું. કેઈએ ન સ્વીકારેલું એ બીડું એક ગણિકાએ ઝડપ્યું. તેણે પોતાની બધી જના વિચારી કાઢી. પ્રથમ તેણે બીજી બે યુવાન સ્ત્રીઓ સાથે લીધી; અને કેાઈ સાધ્વીની આદરપૂર્વક ઉપાસના કરીને બધા જનધર્મ તથા તેને આચાર સમજી લીધું. ત્યારબાદ તે ત્રણે સ્ત્રીઓ શ્રેણિકના નગરમાં આવી. જુદાં જુદાં જન તીર્થો તથા મંદિરનાં દર્શનાર્થે પોતે નીકળી છે, એવું તેમણે જાહેર કર્યું. પછી અભયકુમાર જે મંદિરમાં દર્શન કરવા જતા ત્યાં જઈ, તેમણે વિવિધ રાગ-રાગણીથી પ્રભુની સ્તુતિ કરવા માંડી. અભયકુમાર એ ભક્તિભાવભરી ઉપાસના સાંભળી પ્રસન્ન થયા, અને તેમની માહિતી પૂછવા લાગ્યો. પેલી ગણિકાએ જણાવ્યું કે, હું ઉજજયિનીના એક ધનાઢ્ય વ્યાપારીની વિધવા છું, અને આ બે મારી પુત્રવધૂઓ છે. તેઓ પણ વિધવા જ છે. સાધ્વીપણું સ્વીકારતા પહેલાં અમે આ પ્રમાણે યાત્રાએ નીકળ્યાં છીએ. અભયકુમારે પ્રસન્ન થઈ તેમને પિતાને ત્યાં ભોજન માટે આમંત્રણ કર્યું. વળતે દિવસે તે ગણિકાએ અભયકુમારને આમંત્રણ આપ્યું અભયકુમાર આવ્યો એટલે ગણિકાએ તેને જળપાનમાં કાંઈક પિવરાવી દઈ બેહેશ કરી દીધે, અને તૈયાર
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy