SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વર્ષ ૭૭૭ સાથે જ તેને ખાતરી થઈ ગઈ કે, આ તે મને ફસાવવાને પ્રપંચ જ છે. એટલે તેણે સાવધાન થઈ નર્યાં સુકૃત જ ઉપજાવી-ઉપજાવીને ગણાવવા માંડ્યાં, અને પોતે આખો જન્મારે એક પણ દુષ્કત કર્યું નથી એમ કહ્યું. છેવટે શ્રેણિક રાજાએ તેને છેડી મૂક્યો. બીજે દિવસે રોહિણેય સીધા મહાવીર પાસે ગયે. તેને વિચાર આવ્યો કે, જેનાં વચન અજાણતાં કિંચિતમાત્ર કાને પડી જતાં હું પ્રાણાંતદંડમાંથી બચી શકો, તેની તો આજન્મ પરિચર્યા કરવી જોઈએ, તથા તેનાં વચન સંપૂર્ણ રીતે સાંભળીને તેમનું પરિપૂર્ણ પાલન કરવું જોઈએ. મહાવીરે તેને દીક્ષા આપી. શ્રેણિક રાજા ત્યાં હાજર હતા. રૌહિયે તેને પિતાની સાચી ઓળખ આપી, તથા પોતે જે જે ધન લૂંટીને જ્યાં જ્યાં દાટેલું હતું તે બધું તેને કહી બતાવ્યું. શ્રેણિક રાજાએ તેના બધા ગુનાની તેને માફી આપી; તથા નવા શુદ્ધ જીવનમાં પણ તે પેલા મલિન જીવન જેટલો જ દઢ પ્રયત્ન આચરે, એવી શુભેચ્છા વ્યક્ત કરી. એક વખત ઉજ્જયિનીને રાજા ચંડપ્રદ્યુત સામંતમિત્ર સૌને સાથે લઈ મગધ ઉપર ચડી આવ્યો. તેની સામે શસ્ત્રથી લડવું તે મુશ્કેલ હતું. એટલે અભયકુમારે તેને પોતાની બુદ્ધિથી જ પાછા કાઢવાનું માથે લીધું. તેણે રાજગૃહ નગરીની આસપાસ જ્યાં જ્યાં લશ્કરને પડાવ નાખવા જેવાં સપાટ સ્થાને હતાં, ત્યાં બધે શ્રેણિક રાજાના લાંછનવાળા સેનાના સિક્કા દટાવ્યા. ત્યાર બાદ ચંડપ્રદ્યોતને છેક રાજગૃહ નગર સુધી આવવા દીધો. તેણે રાજગૃહને ઘેરે ઘાલી, પેલી સપાટ જગાઓએ જ પડાવ નાખે. ત્યાર બાદ અભયકુમારે છેડે વખત જવા દઈ, ચંડ પ્રોતને ખાનગીમાં ખબર મોકલી કે, તમારા લશ્કરનાં બધાં
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy